Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મોદી સરનેમ કેસ: ‘રાહુલ ગાંધીએ 2013માં આ બિલ ન ફાડ્યું હોત તો બચી જતે લોકસભાનું સભ્યપદ’

મોદી સરનેમ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના કાયદા હેઠળ તેમનું લોકસભાનું સભ્ય પદ છીનવી લેવામાં આવ્યું છે. જો રાહુલ ગાંધીએ ભૂતકાળમાં આ એક ભૂલ ન કરી હોત તો તેમના પદ પર આ સંકટ ન આવ્યું હોત.

રાહુલ ગાંધીએ પોતાની જ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા એક વટહુકમની નકલ ફાડી નાખી હતી. 10 વર્ષ પહેલા કરેલી આ ભૂલ તેમને મોંઘી પડી છે. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના આદેશના કારણે રાહુલ ગાંધીનું પદ જોખમમાં મુકાયું. હવે તે 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

શું હતો આ વટહુકમ?

મનમોહન સિંહ સરકાર દ્વારા લાવવામાં આવેલા આ વટહુકમની નકલ રાહુલ ગાંધીએ ફાડી નાખી હતી. આ વટહુકમ દોષિત સાંસદોને સીટ બચાવવા માટે 3 મહિનાનો સમય આપે છે. સુપ્રીમ કોર્ટનો આ એક નિર્ણય તેમના સાંસદ પદ માટે કાળ બની શકે છે. વટહુકમ આ આદેશ વિરુદ્ધ જ લાવવામાં આવી રહ્યો હતો.

શું છે આ કાયદો? 

જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદ અને ધારાસભ્યને કોઈ પણ કેસમાં 2 વર્ષથી વધુની સજા થાય છે તો તેમનું સભ્યપદ રદ થઈ જશે. સજા પૂરી થયાના 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. આ જ કાયદો રાહુલ ગાંધી પર લાગુ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ આવ્યો હતો આ વટહુકમ 

આ વટહુકમ વર્ષ 2013માં આવ્યો હતો. યુપીએ સરકારે આદેશ પસાર કર્યો હતો. જુલાઈમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે જો દોષિત સાબિત થશે તો સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવશે. કોંગ્રેસના આ વટહુકમ પર ભાજપ, ડાબેરી સહિત અનેક વિપક્ષી દળોએ કોંગ્રેસને ખરાબ રીતે ઘેરી હતી. રાહુલ ગાંધીએ આ વટહુકમની કોપી ફાડી નાખી હતી.

संबंधित पोस्ट

VIDEO-મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે આવશે, કાલની મિટીંગ બાદ, ડીમોલેશન સ્થળોનું કરશે નિરીક્ષણ, ચુસ્ત બંદોબસ્ત

मुख्यमंत्री ने युवाओं से अपने क्षेत्र के विकास के लिए रचनात्मक योगदान देने का आह्वान किया

Karnavati 24 News

राजस्थान कांग्रेस प्रभारी रंधावा ने दिया विवादित बयान, कहा- चुनाव जीतने के लिए पुलवामा अटैक…

Karnavati 24 News

TMC में कैसे शामिल हुए शत्रुघ्न सिन्हा? इस शख्स के रोल को बताया अहम, ममता बनर्जी पर दिया ये बयान

Karnavati 24 News

पीएम मोदी ने एशिया के सबसे बड़े एयरो शो की दी भेट, जानिए क्यां है खासियत

Admin

दिल्ली शराब नीति मामले में केसीआर की बेटी से हुई पूछताछ, फिर तलब किया

Karnavati 24 News