India vs England Women Match: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 સીઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી. ટીમે પોતાની પ્રથમ બે મેચ જીતી હતી. પરંતુ ત્રીજી મેચ શનિવારે (18 ફેબ્રુઆરી) ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી, જેમાં તેને 11 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ હાર સાથે હવે ભારતીય ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ ઘણી ઓછી દેખાઈ રહી છે. ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લિશ ટીમનો નેટ રન રેટ ઘણો સારો છે અને તેણે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
સેમિફાઇનલ માટે ત્રણ ટીમો સ્પર્ધા કરે છે
ભારતીય ટીમે હવે ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી અને ચોથી મેચ 20 ફેબ્રુઆરીએ આયરલેન્ડ સામે રમવાની છે. જ્યારે ઈંગ્લેન્ડે તેની છેલ્લી મેચ પાકિસ્તાન સામે રમવાની છે. પાકિસ્તાનની પણ બે મેચ બાકી છે અને હાલમાં તેના 2 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં સેમિફાઈનલમાં કોણ સ્થાન નિશ્ચિત કરી શકશે તે કહી શકાય નહીં.
સેમિફાઈનલમાં પહોંચવાનું ભારતનું સમીકરણ?
જો ભારતીય ટીમે સેમિફાઈનલમાં પહોંચવું હોય તો તેણે આયરલેન્ડ સામેની છેલ્લી મેચ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા વધુ સારા નેટ રનરેટ સાથે મેચ જીતે છે તો તે વધુ સારુ રહેશે.
તેમજ આ ગ્રુપમાં સામેલ પાકિસ્તાની ટીમના આ સમયે માત્ર 2 પોઈન્ટ છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામે મેચ રમી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે પ્રાર્થના કરવી પડશે કે પાકિસ્તાન તેની એક મેચ હારે.
– જો પાકિસ્તાન તેની બંને મેચ જીતી જાય છે અને ભારતીય ટીમ તેની છેલ્લી મેચ જીતે છે, તો નેટ રનરેટના આધારે નિર્ણય લેવામાં આવશે. અત્યારે પાકિસ્તાનનો નેટ રનરેટ વધુ સારો છે. આવી સ્થિતિમાં તેની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ વધારે છે.