મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેલા એક 17 વર્ષના સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે ગત ઓક્ટોબર માસમાં મોત થયું હતું ત્યારબાદ ત્યાં એક જ 11 વર્ષનો સિંહ રહ્યો હતો તે પણ બીમાર હાલતમાં છે આથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા વન્ય પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના સકરબાગ ઝૂ માંથી વાઘની જોડી ના બદલામાં સિંહની જોડી ની માંગણી કરવામાં આવી હતી જેને ગત 31 ઓક્ટોબરના મંજૂરી મળી હતી જેના અનુસંધાને જુનાગઢ સક્કરબાગ ઝૂમાંથી બે બે વર્ષના ડી-11 અને ડી-22 નામના સિંહ અને સિંહણને મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોકલવામાં આવ્યા હતા ત્યાંથી 6 વર્ષના બજરંગ નામના વાઘ અને 4 વર્ષની દુર્ગા નામની વાઘણને જુનાગઢના સક્કરબાગમાં લાવવામાં આવ્યા છે આ બંને વાઘને સ્વસ્થ અને સુરક્ષિત રીતે લવાયા છે આ વાઘ યુગલને આગામી એક મહિના સુધી નિરીક્ષણમાં રાખવામાં આવશે ત્યારબાદ લોકોને નિહાળવા માટે પાંજરામાં રાખવામાં આવશે આમ બહારથી આવેલા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અંદાજે 30 વર્ષ પછી વાઘની જોડી લવાઈ છે