Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપ ને ઝડપી જેલ હવાલે કરાયો

ખૂનના ગુનામાં આજીવન કેદની સજા બાદ પેરોલ પર છુટ્ટી જઈ ફરાર રહેલા આરોપીને એલ બી સી એ ઝડપી લઇ જેલના હવાલે કર્યો છે આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં અકીલ ઉર્ફે ગભરુ સલીમભાઈ સુમરા સામે એ ડિવિઝનમાં ખૂનનો ગુનો નોંધાયો હતો બાદમાં તેને આજીવન કેદની સજા થતાં રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો જોકે આરોપી 10 દિવસના પેરોલ રજા પર જેલમાંથી છૂટ્યો હતો પરંતુ પેરોલ પૂરા થયા બાદ પણ ફરી જેલમાં હાજર થવાને બદલે નાસી ગયો હતો. દરમિયાન પેરોલ જમ્પ જામીન પર છૂટી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડા એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સુચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી અકીલ ઉર્ફે ગભરુ હાલ સુખનાથ ચોક પાસેના ઢુંઢણ પુલ પાસે છુપાયો છે બાદમાં એલ બી સી પી આઇ જે એચ સિંધવ પીએસઆઇ જે ગઢવી અને સ્ટાફે ત્યાં જઈ અને આરોપીને ઝડપી લીધો હતો અને રાજકોટની જેલ હવાલે કર્યો છે

संबंधित पोस्ट

 ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સોનાનો વેપારી લૂંટાયો

Karnavati 24 News

રાજકોટમાં પૈસાની લેતી દેતી વખતે કારમાં સવાર શખ્સોએ યુવકને મારમાર્યો: યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ

Admin

જામનગર માં ૩.૬૯ પાઈપ લાઈન ની ચોરી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી..

Admin

દારૂના નશામાં ચકચૂર બની પરપ્રાંતિયને જાહેરમાં ૨ ખુલ્લી તલવાર લઈને નીકળવાનું ભારે પડ્યું,પોલીસે કર્યો જાહેરનામાના ભંગનો ગુનો દાખલ

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News

સુરતમાં બંધુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાયો

Karnavati 24 News