ખૂનના ગુનામાં આજીવન કેદની સજા બાદ પેરોલ પર છુટ્ટી જઈ ફરાર રહેલા આરોપીને એલ બી સી એ ઝડપી લઇ જેલના હવાલે કર્યો છે આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં અકીલ ઉર્ફે ગભરુ સલીમભાઈ સુમરા સામે એ ડિવિઝનમાં ખૂનનો ગુનો નોંધાયો હતો બાદમાં તેને આજીવન કેદની સજા થતાં રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો જોકે આરોપી 10 દિવસના પેરોલ રજા પર જેલમાંથી છૂટ્યો હતો પરંતુ પેરોલ પૂરા થયા બાદ પણ ફરી જેલમાં હાજર થવાને બદલે નાસી ગયો હતો. દરમિયાન પેરોલ જમ્પ જામીન પર છૂટી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડા એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સુચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી અકીલ ઉર્ફે ગભરુ હાલ સુખનાથ ચોક પાસેના ઢુંઢણ પુલ પાસે છુપાયો છે બાદમાં એલ બી સી પી આઇ જે એચ સિંધવ પીએસઆઇ જે ગઢવી અને સ્ટાફે ત્યાં જઈ અને આરોપીને ઝડપી લીધો હતો અને રાજકોટની જેલ હવાલે કર્યો છે