Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સાવરકર પર થયેલા વિવાદને લઈને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી શકે છે ઠાકરે? ઉદ્ધવ જૂથના નેતાનો સંકેત

વીર સાવરકરને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ચરમસીમા પર છે. આ નિવેદન બાદ હવે ઉદ્ધવ જૂથ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવા પર વિચાર કરી શકે છે. ઉદ્ધવ જૂથના નેતા અરવિંદ સાવંતે કહ્યું કે રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે જે પણ કહ્યું તેનાથી અમે સહમત નથી. અમે વીર સાવરકરને ખૂબ માન આપીએ છીએ, તેથી તેમના વિરુદ્ધ આવું કશું પણ સાંભળવું અમને પસંદ નથી. રાહુલ ગાંધીના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં તેમના ગઠબંધન પર અસર પડશે કે કેમ તેવા સવાલ પર સાવંતે કહ્યું કે મને આની ખબર નથી. જો કે આનો નિર્ણય પાર્ટીના ટોચના નેતાઓએ લેવાનો છે.

જો કે, સાવંતે વધુમાં કહ્યું કે મને ખબર નથી કે કેટલાક લોકો એવો સવાલ કેમ ઉઠાવી રહ્યા છે કે શું અમે કોંગ્રેસ સાથેના ગઠબંધનથી અલગ થઈશું. જણાવી દઈએ કે આ એ જ લોકો છે જેમણે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું. પીડીપી એ જ પાર્ટી છે જે વંદે માતરમ ગાવામાં અચકાય છે. આ લોકો બેવડા ચરિત્રના છે. ઉદ્ધવ જી અને સંજય રાઉતે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. અમે આ રીતે તો આગળ ન ચાલી શકીએ ને. ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે કે અમારે ગઠબંધન ચાલુ રાખવું છે કે નહીં. નિર્ણય લેવામાં આવશે પરંતુ અમને કોઈ ઉતાવળ નથી. જ્યારે સમય આવશે, ત્યારે જે કરવાની જરૂર છે તે બધું કરવામાં આવશે.

વીર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે તેવી અમે લોકસભામાં છેલ્લા આઠ-દસ વર્ષમાં અનેક વખત માગણી કરી છે. અમે હજુ પણ અમારી માંગ પર અડગ છીએ. ભૂતકાળમાં જે બન્યું તેના સંદર્ભમાં, હું ફરી એકવાર કહેવા માંગુ છું કે અમારા નેતા ઉદ્ધવ ઠાકરે છે અને તેઓ ચોક્કસપણે આગળ આવશે અને આ મુદ્દા પર કોઈ નિર્ણય લેશે.

જણાવી દઈએ કે ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની ટિપ્પણી પર વળગી રહેવાની વાત કહી હતી. અને સાવરકરે લખેલી દયા અરજીની નકલ પણ બતાવી. તે સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સાવરકરજીએ તેમાં લખ્યું છે કે, ‘હું પ્રાર્થના કરું છું, સાહેબ, હું હંમેશા તમારો આજ્ઞાંકિત સેવક બનીને રહીશ…’ જ્યારે તેમણે આ પત્ર પર હસ્તાક્ષર કર્યા, શું કારણ હતું…? તેઓ ડરી ગયા હતા…તેઓ બ્રિટિશરોથી ડરતા હતા..’ આ મુદ્દે સાથી પક્ષો સાથે મતભેદો અંગે રાહુલ ગાંધીએ કહ્યું, ‘જો કોઈ પોતાની વિચારધારાને આગળ રાખવા માંગે છે તો તેમને આમ કરવું જ જોઈએ…’

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આ પત્ર પર હસ્તાક્ષર કરવાને કારણે, સાવરકરજી વિશે મારા વિચારો આ પ્રકારના છે…’ તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલે વર્ષો જેલમાં વિતાવ્યા, પરંતુ ‘તેઓએ ક્યારેય આવા પત્ર પર સહી કરી ન હતી…’ રાહુલ ગાંધીએ કહ્યું, ‘આ બે અલગ-અલગ વિચારધારા છે… અમારી પાર્ટીમાં ચર્ચાની છૂટ છે… અમારે ત્યાં કોઈ સરમુખત્યાર નથી…”.

संबंधित पोस्ट

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Karnavati 24 News

બેરોજગારી, આસમાની મોંઘવારીથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે

Karnavati 24 News

જીતુ વાઘાણીના નિવેદન બાદ આપના પ્રહારો કહ્યું, જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા

Karnavati 24 News

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

‘કેટલાક દેશો અને તેમની એજન્સીઓએ આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ બનાવી છે’, અમિત શાહે પાકિસ્તાન પર સાધ્યું નિશાન

Admin