Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો

સુરતના હાઈવોલ્ટેજ ડ્રામામાં એક પછી અલગ અલગ વળાંક જોવા મળી રહ્યા છે. મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો તેમ કંચન જરીવાલાએ કહ્યું છે. સુરતમાં ગઈકાલ રાકથી ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. સુરત પૂર્વ બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલે ફોર્મ પરત ખેંચ્યું છે. આપ પાર્ટીએ આ પહેલા કંચન જરીવાલને કિડનેપ કરાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે અહીં ચિત્ર અલગ ઉપસી આવ્યું છે.

કંચન જરીવાલાએ કહ્યું કે, હું ઉમેદવાર તરીકે મારા મતવિસ્તારમાં જતો હતો ત્યારે લોકોનું કહેવું હતું કે, આપ પાર્ટીએ રાષ્ટ્રીય વિરોધી પાર્ટી છે. તેમને સાથ સહકાર ના આપો જેથી હું માનસિક તણાવમાં આવી ગયો હતો. આ કારણે હું મારા સગા સબંધીઓને ત્યાં જતો રહ્યો હતો અને મેં ત્યાં જઈ મિટીંગ કરી અને ત્યાંથી ફોર્મ પરત લેવાનું વિચાર્યું હતું.

આપના ઈસુદાન ગઢવી, મનીષ સિસોદીયા સહીતના નેતાઓએ કિડનેપ થયાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વાત વચ્ચે કંચન જરીવાલા આજે સુરત ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા ત્યારે હોં હા જોવા મળી હતી. કોણ દબાણ જબજસ્તી ફોર્મ પરત ખેંચવાને લઈને કરી રહ્યું છે તેમ પણ આપ સમર્થકોએ કહ્યું હતું. જો કે, છેવટે કંચન જરીવાલે સ્પષ્ટતા કરી છે કે, મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો.

संबंधित पोस्ट

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

Karnavati 24 News

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

Karnavati 24 News

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin
Translate »