Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો

સુરતના હાઈવોલ્ટેજ ડ્રામામાં એક પછી અલગ અલગ વળાંક જોવા મળી રહ્યા છે. મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો તેમ કંચન જરીવાલાએ કહ્યું છે. સુરતમાં ગઈકાલ રાકથી ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. સુરત પૂર્વ બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલે ફોર્મ પરત ખેંચ્યું છે. આપ પાર્ટીએ આ પહેલા કંચન જરીવાલને કિડનેપ કરાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે અહીં ચિત્ર અલગ ઉપસી આવ્યું છે.

કંચન જરીવાલાએ કહ્યું કે, હું ઉમેદવાર તરીકે મારા મતવિસ્તારમાં જતો હતો ત્યારે લોકોનું કહેવું હતું કે, આપ પાર્ટીએ રાષ્ટ્રીય વિરોધી પાર્ટી છે. તેમને સાથ સહકાર ના આપો જેથી હું માનસિક તણાવમાં આવી ગયો હતો. આ કારણે હું મારા સગા સબંધીઓને ત્યાં જતો રહ્યો હતો અને મેં ત્યાં જઈ મિટીંગ કરી અને ત્યાંથી ફોર્મ પરત લેવાનું વિચાર્યું હતું.

આપના ઈસુદાન ગઢવી, મનીષ સિસોદીયા સહીતના નેતાઓએ કિડનેપ થયાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વાત વચ્ચે કંચન જરીવાલા આજે સુરત ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા ત્યારે હોં હા જોવા મળી હતી. કોણ દબાણ જબજસ્તી ફોર્મ પરત ખેંચવાને લઈને કરી રહ્યું છે તેમ પણ આપ સમર્થકોએ કહ્યું હતું. જો કે, છેવટે કંચન જરીવાલે સ્પષ્ટતા કરી છે કે, મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો.

संबंधित पोस्ट

રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાંથી 1000 થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ ગુમ, વિક્રમસિંઘેએ આ વાત કહી

Karnavati 24 News

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાશે

Admin

નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહ કેમ ટ્રેન્ડમાં છે?

Karnavati 24 News

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

 કપટનીતિની ગંદકીથી ખડબદતા રાજકીય પક્ષના રાજકારણીઓ ગ્રામ પંચાયતને કેમ રાજકીય રંગે રંગે છે????

Karnavati 24 News