Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

India Vs England: વર્લ્ડકપ સેમિફાઇનલમાં બે વખત ટકરાયા છે ભારત અને ઇગ્લેન્ડ, જાણો શુ રહ્યા હતા પરિણામો

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર માટે તૈયાર છે. ભારત અને ઈંગ્લેન્ડ અત્યાર સુધી 22 વખત T20 ઈન્ટરનેશનલ મેચમાં ટકરાયા છે. આમાં ભારતીય ટીમનો હાથ ઉપર છે. ભારતીય ટીમે 12 વખત ઈંગ્લેન્ડને હરાવ્યું છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ 10 વખત વિજયી રહી છે. આ સિવાય ભારતે T20 વર્લ્ડ કપમાં બે વખત ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ એક વખત ભારતને હરાવવામાં સફળ રહી છે.

ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં બે વખત ટકરાયા છે. 1983ના વર્લ્ડ કપમાં કપિલ દેવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જોકે, 1987ના ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને ઘરઆંગણે હરાવીને પોતાનો બદલો લીધો હતો

1983 ODI વર્લ્ડ કપ, માન્ચેસ્ટર

માન્ચેસ્ટરના મેદાન પર 1983ના વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો સામસામે આવી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બોબ વિલિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કપિલ દેવની આગેવાની હેઠળના ભારતના બોલરોએ ઈંગ્લેન્ડને માત્ર 213 રનમાં આઉટ કરી દીધું હતું. તે સમયે ઈંગ્લેન્ડની ટીમમાં માઈક ગેટિંગ, એલન લમ્બ અને ઈયાન બાથમ જેવા મહાન બેટ્સમેન હતા. કપિલ દેવે 35 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મોહિન્દર અમરનાથ અને રોજર બિન્નીએ બે-બે વિકેટ જ્યારે કીર્તિ આઝાદ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

યશપાલ શર્મા (61) અને સંદીપ પાટીલ (અણનમ 51)ની જોરદાર ઇનિંગ્સને કારણે ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ સિવાય મેન ઓફ ધ મેચ મોહિન્દર અમરનાથે પણ 46 રનની ઇનિંગ રમી હતી. ભારતે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને તેનું પ્રથમ વનડે વર્લ્ડ કપ ટાઇટલ પણ જીત્યું હતું.

1987 વન-ડે વર્લ્ડ કપ વાનખેડે

ભારત અને ઈંગ્લેન્ડ બીજી વખત વાનખેડે સ્ટેડિયમમાં ટકરાયા હતા. ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગ્રેહામ ગૂચ (115) અને કેપ્ટન માઈક ગેટિંગ (56)ની ઈનિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવી શકી હતી. ભારત તરફથી મનિન્દર સિંહે ત્રણ, કપિલ દેવે બે જ્યારે ચેતન શર્માએ એક વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત સારી રહી ન હતી. સુનીલ ગાવસ્કર માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચ તેની છેલ્લી વનડે મેચ પણ સાબિત થઈ. મોહમ્મદ અઝહરુદ્દીન (61), કે શ્રીકાંત (31) અને કપિલ દેવ (30) લડ્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. ભારતીય ટીમ 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 35 રને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી એડી હેમિંગ્સે ચાર અને નીલ ફોસ્ટરે ત્રણ વિકેટ ઝડપી હતી.

संबंधित पोस्ट

https://karnavati24news.com/news/13694

Karnavati 24 News

India Vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કમિન્સ બહાર

Admin

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

Karnavati 24 News

T20 World Cup 2022માં આ ત્રણ ટીમ બધા પર ભારે પડશે, પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું- કોણ બનશે ચેમ્પિયન

Asia Cupની સુવર્ણ ટ્રૉફી સામે આવી, UAEના સુંદર નજારા વચ્ચે લૉન્ચ કરવામાં આવ્યો વીડિયો

Karnavati 24 News

India No 1 In T20 Rankings: વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારત T20માં વિશ્વની નંબર વન ટીમ બની, વર્ષો પછી ટોચ પર પહોંચી

Karnavati 24 News
Translate »