તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો
તળાજા નગર પાલિકા પ્રમુખ, ચીફ ઓફ્સિર સહિતના હોદ્દેદારોએ આજે પાલિકાના હિતમા હિંમતભર્યો નિર્ણય લિધો હતો. મહેકમ કરતા વધુ હોય અને કામ નહિ કરતા ૭૦ કોન્ટ્રાક્ટ બેઝના કર્મીઓને છુટા કરતા ખળભળાટ મચી ગયો હતો. મહેકમ કરતા વધુ નગરપાલિકામાં એવા અનેક કર્મચારીઓ હતા જેનો ભાર પાલિકા વેંઢારતી હતી. આ મુદ્દો વારંવાર ચર્ચા ની એરણે ચઢતો હતો. કોઈ સગા તો કોઈ વ્હાલાને પાલિકામાં નોકરીએ રખાવી જશ ખાટવા આવતો હતો. એ કર્મીઓને પાલિકા નગર વાસીઓ પાસેથી કરવેરો ઉઘરાવતા તેમાંથી ચૂકવતો હતો.આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવતો હતો.આવા કર્મચારીઓને ગુરૂવારે સાંજના સમયે કાલથી ન આવતા તેવુ ફ્લેનમા જ કહી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે છૂટા કરાયેલ કર્મચારીઓ અને નગરસેવકોના મોબાઈલ રણકવા લાગ્યા હતા. આ બાબતે ચીફ ઓફ્સિર પટેલ એ જણાવ્યુંહતું કે પાલિકાના હિત માટે આ પગલું ભરવું જરૂરી હતું.તેના માટે સત્તાધીશનો પણ સહકાર મળ્યો હતો.આથી સિત્તેર જેટલા કર્મીઓને છુટા કરવામાં આવ્યા છે. જેમાં બગીચા, કૂવા, ગટર, વેરા વસૂલાત, વોટર વર્કસ સહિતની તમામ શાખા માંથી જરૂર ન હોય તેને છૂટા કરવામાં આવ્યા છે. આ બધાજ કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓ હતા. સિનારિયો તો એવો જોવા મળતો કે કલેકટર કચેરીએ એકાદ બે પટ્ટા વાળા હોય પરંતુ પાલિકા મા છ છ પટ્ટાવાળા જોવા મળતા હતા. એક સાથે ૭૦ કર્મીઓને છૂટા કરવામાં આવ્યાં છે ત્યારે હવે પાલિકા ની રોજિંદી સાઈ પાણી વિતરણ સહિતની સેવા મા કોઈ તકલીફ પડે છે કે કેમ તે આવતા બે ત્રણ દિવસમા ખબર પડી જશે તેવી પણ ચર્ચા પાલિકા વર્તુળ મા ઉઠી હતી.