Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૯/૦૯/૨૦૨૨ના રોજ સુરત ખાતે સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે. જેના આયોજનના ભાગરૂપે આજરોજ સરકીટ હાઉસ ખાતે મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના વડપણ હેઠળ કાર્યક્રમના આયોજન અર્થે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનશ્રીનો મુખ્ય કાર્યક્રમ તા.૨૯મીએ સવારે ૯.૦૦ વાગે લિંબાયત ખાતેના નિલગીરી મેદાન ખાતે યોજાશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અંદાજીત રૂ.૩૧૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થશે.

બેઠકમાં મ્યુ.કમિશનર શ્રી બંછા નિધિ પાની તથા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, કંટ્રોલરૂમ જેવી ૧૬ જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ બલર, વિપુલભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવડીયા, ડે.મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તથા જિલ્લા વહીવટીતંત્ર-મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે

Gujarat Desk

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

Karnavati 24 News

ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા.

છ દિવસમાં કુલ રૃ.૫૯.૧૧ કરોડની કિંમતની ૧.૧૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

Gujarat Desk

ગાંધીધામના તબીબે કિડાણાનાં આધેડ સાથે 8 લાખ રૂપિયાની ઠગાઇ કરી, પોલીસ ચોપડે ગુનો નોંધાયો

Gujarat Desk

હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઈને 1 લાખની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પડ્યા

Gujarat Desk
Translate »