ટી-20 વર્લ્ડકપ 2021ના સમયે કોઇએ વિચાર્યુ નહી હોય કે ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીની જગ્યાને લઇને આટલી ચર્ચા થઇ રહી હશે. હવે ટી-20 વર્લ્ડકપ 2022 આવી રહ્યો છે અને આ પહેલા એશિયા કપમાં વિરાટ કોહલી વાપસી કરી રહ્યો છે. આ મિશન ટી-20 વર્લ્ડકપનો મોટો પડાવ હશે. બે મોટા ખેલાડી વિરાટ કોહલી અને લોકેશ રાહુલ વાપસી કરી રહ્યા છે.
બન્ને ખેલાડીની વાપસી સાથે ટીમ ઇન્ડિયાના ટોપ-3ની સ્થિતિ પણ સ્પષ્ટ થઇ ગઇ છે. કેપ્ટન રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ ઓપનિંગમાં અને વિરાટ કોહલી નંબર 3 પર રમવા માટે ઉતરી શકે છે. હજુ સુધી આ બન્ને પ્લેયર ટીમમાં નહતા. એવામાં બહારનો રસ્તો ક્યા ખેલાડીએ જોવો પડશે. સાથે જ મિડલ ઓર્ડર કેવો હશે આ ટીમ ઇન્ડિયાની નવી ટેન્શન છે.
રોહિત-રાહુલ-કોહલી ટોપ-3 હોય છે તો સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને દિનેશ કાર્તિક જેવા ખેલાડી જેમણે આ વર્ષે ટી-20 ફોર્મેટમાં ભારત માટે સારૂ પ્રદર્શન કર્યુ છે તેમાંથી કોઇ એકની જગ્યા પર સંકટ આવી શકે છે.
નંબર-4માં સૂર્યકુમાર યાદવ ફિટ બેઠે છે તો રિષભ પંત એક્સ ફેક્ટર છે. તે બાદ દિનેશ કાર્તિકનો નંબર છે, જે ગત કેટલાક સમયમાં બેસ્ટ ફિનિશર તરીકે ઉભર્યો છે. એક પહેલુ એવો પણ છે કે રોહિત શર્મા નવી રીતે રમતને વધારી રહ્યો છે, જ્યા માત્ર એગ્રેશનને ભાર આપવામાં આવી રહ્યો છે. પ્લેઇંગ ઇલેવનમાં હાર્દિક પંડ્યા કે રવિન્દ્ર જાડેજા કોઇ એકની પસંદગી રોહિત શર્માએ કરવી પડશે. આ રોહિત શર્મા માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.
આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ (જસપ્રિત બુમરાહ જો ફિટ થાય છે તો તે પણ ટીમમાં સામેલ થશે)