Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

પાટણ જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જીલ્લા સંકલન ની બેઠક

પાટણ જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જીલ્લા સંકલન ની બેઠક નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ અને સરકારી યોજનાઓ જન જન સુધી પોહચાડવી આપણી કટિબધ્ધતા કલેકટર પાટણ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલનની બેઠક આજે જિલ્લાના પદાધિકારીશ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં પાટણ જિલ્લામાં સરકારી યોજનાઓને લગતા તમામ પ્રશ્નોના ચર્ચા કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પદાધિકારીઓના પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં શું આયોજન છે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. દર માસમાં એક વખત જિલ્લા સંકલનની બેઠક મળતી હોય છે. જે અંતર્ગત આજે જિલ્લા સંકલનની બેઠક મળી હતી. જિલ્લા કલેકટરશ્રી ના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાધનપુર ના ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતિબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ બંને પદાધિકારીઓના પ્રશ્નોને લઈને પાટણ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ હતી. તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે માટે પાટણ જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી પાટણ જિલ્લા સંકલન ની બેઠકમાં લોકોની અરજીઓના નિકાલ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પગાર પ્રશ્નો, સરકારી નાણાં વસુલાત ની સમીક્ષા, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ચાલતા કેસની તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી જીલ્લા કલેકટર દ્વારા જાણકારી મેળવી હતી. સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે તમામ અધિકારીઓને જીલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ છેવાડાનો માનવી સુધી પહોંચે તેને અગ્રીમતા આપવા માટે જીલ્લા સંકલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, જળ જીવન મિશન, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, સ્વામીત્વ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, અટલ પેન્શન યોજના તેમજ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મળતા લાભો તેમજ આ તમામ યોજનાલક્ષી માહિતીની જાણકારી સંબંધિત અધિકારીઓ પાસેથી પાટણ જિલ્લા કલેકટર ની મેળવી હતી. આજે મળેલી પાટણ જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતિબેન મકવાણા, રાધનપુરના ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંહ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ સોલંકી, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, અધિક નિવાસી કલેકટર પી બી રાઠોડ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News

ચોમાસા પૂર્વેની અસર: બિહાર સહિત 3 રાજ્યોમાં 57ના મોત, આસામમાં પૂરથી 7 લાખ લોકો પ્રભાવિત; 21-24 મે સુધી વરસાદની ચેતવણી

Karnavati 24 News

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ વિસ્ફોટના અવાજથી ગભરાટ; ગેસ લીકને રોકવાનો પ્રયાસ કરીને જગ્યા ખાલી કરાવી

Karnavati 24 News

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

પેટલાદના સુણાવ રોડ પર આવેલી આલ્ફા વુડ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ , ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઇ

Karnavati 24 News

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News