Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને કહી આ વાત

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ખેડૂતોને લઈને સામે આવ્યુ છે. વર્ચ્યુઅલ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો.

વડાપ્રધાને કહ્યું હતું કે, સુરતમાં દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના પ્રયાસ થઈ રહ્યો છે તેમને કહ્યું હતું ખેડૂતોની સાથે સાથે સરપંચોની ભૂમિકા પ્રશંસાને પાત્ર છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના મિશનની પ્રગતિ જોઈને આનંદ થાય છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આ વાત પોતાના મનમાં ઉતારી છે. તેનાથી પી.એમ. નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની અંદર ખુશી વ્યક્ત કરી હતી.
 આ સાથે તેમને કહ્યું હતું કે જે લક્ષને પ્રાપ્ત કરવામાં દેશવાસીઓ સંકલ્પ કરે તો એ પૂર્ણ થઈને જ રહે છે આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે.
 ડિજિટલ મીડિયાની અસાધારણ સફળતાથી મોટો બદલાવ પણ જોવા મળી રહ્યો છે. સુરતમાં 41 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કંઈ થાય જ નહીં તેવું લોકો માની બેઠા હતા.
પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતો ગહન રીતે જોડાઈ રહ્યા છે જેટલી ખેતી સમૃદ્ધ હશે તેટલો દેશ આગળ વધશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની અંદર જણાવ્યું હતું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક ખેતીને લઈ જન આંદોલન વ્યાપકરૂપી સફળ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક આપણા ખેડૂત ભાઈઓને આ કામ બદલ શુભેચ્છાઓ પાઠવું છું જે કિસાન મિત્રોએ સરપંચ સાથીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા તેમને પણ હું હાર્દિક શુભકામના આપું છું.
 ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે આ સરપંચોની ભૂમિકા પણ વખાણમાં જેવી છે એમણે આ બીડું ઉઠાવી છે અને એટલા માટે જ આ બધા સરપંચ ભાઈઓ, બહેનો પણ એટલા જ અભિનંદનના આભારી છે.

संबंधित पोस्ट

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News

‘મેરી આવાઝ હી મેરી પહેચાન…’ લતા મંગેશકરનું નિધન, સોશિયલ મીડિયા પર આ 2 વીડિયો થઇ રહ્યા છે ખૂબ વાયરલ

Karnavati 24 News

ભોજપુરીઃ દેશભક્તિના રંગમાં જોવા મળી અક્ષરા સિંહ, પોસ્ટ શેર કરીને તિરંગા અભિયાનને સમર્થન આપ્યું

Karnavati 24 News

સરકારે ‘ગે’ સામે વાંધો ઉઠાવ્યો, કોલેજિયમના 20 નામ પાછા મોકલ્યા

Admin

રિઝર્વ બેન્ક દ્વારા દેશની પ્રથમ ડીજીટલ કરન્સી ઇ-રૂપી લોન્ચ કરી

Admin

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી

Karnavati 24 News
Translate »