Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

પેટ્રોલ-ડીઝલની નિકાસ પર એક્સાઇઝ ડ્યૂટી વધી, જાણો સામાન્ય જનતા પર તેની શું અસર થશે?

ભારત સરકારે વિમાનમાં વપરાતા ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(એટીએફ) અને પેટ્રોલ-ડીઝલની નિકાસ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સપોર્ટ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે વિમાન ઇંધણની નિકાસ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સપોર્ટ એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી છે.

સરકારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતો વધ્યા બાદ ઓઇલ ઉત્પાદકોને થતા ફાયદાને કાબૂમાં રાખવા માટે ઘરેલુ સ્તર પર ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર પણ 23,230 રૂપિયા પ્રતિ ટનનો એકસ્ટ્રા ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે.

સામાન્ય જનતા પર શું અસર થશે?

સરકારના આ મોટા નિર્ણયની અસર સામાન્ય જનતા પર પડશે કે કેમ તેને લઇને ચારેય તરફ અટકળો થઇ રહી છે ત્યારે આ સવાલનો જવાબ સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જ છે. સરકાર દ્વારા તેને લઇને જે સૂચના જાહેર કરવામાં આવી છે તે અનુસાર આ નિર્ણયની સામાન્ય જનતા પર કોઇ અસર નહીં પડે. સરકારના આ નિર્ણયની અસર માત્રને માત્ર દેશની બહાર નિકાસ થતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર જ પડશે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ અંકુશમાં રહેવાની સંભાવના છે. વાસ્તવમાં, એક્સપોર્ટ ડ્યૂટીનો ચાર્જ વધારાયો છે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે પહેલાની તુલનામાં દેશની બહાર આ વસ્તુઓની નિકાસ કરવી વધુ ખર્ચાળ સાબિત થશે.

संबंधित पोस्ट

કડાકો / તળિયે પહોંચ્યો રૂપિયો, ડોલરની સરખામણીએ 79.04 પર પહોંચી ભારતીય કરન્સી

Karnavati 24 News

બિઝનેસ આઈડીયા/ આ મસાલાની ખેતી કરીને આપ સરળતાથી કમાઈ શકશો લાખો રૂપિયા

Karnavati 24 News

સતત બીજા વર્ષે મુકેશ અંબાણીએ ન લીધો પગાર, નીતા અંબાણીને મળ્યા આટલા પૈસા

Karnavati 24 News

અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં બનાવી જગ્યા

Karnavati 24 News

શેરબજાર: શરૂઆતના ટ્રેડિંગમાં તીવ્ર ઘટાડા પછી, સેન્સેક્સ 58,683 અને નિફ્ટી 17,525 પર લપસીને થોડી રિકવરી જોવા મળી હતી.

Karnavati 24 News

મારુતિની આ 3 સસ્તી કાર, લોકોએ કરી ધૂમ ખરીદી, પ્રારંભિક કિંમત 3.39 લાખ અને આપે છે 31 કિમી સુધીની માઈલેજ

Karnavati 24 News
Translate »