Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

શાનદાર/ 21 વર્ષની ઉંમરમાં આપની લાડકી દિકરી બની જશે 65 લાખ રૂપિયાની માલિક, બસ આટલું કરો રોકાણ

જો તમે પણ દીકરીના પિતા છો અને ઈચ્છો છો કે તમારી દિકરીનું ભવિષ્ય આર્થિક રીતે સમૃદ્ધ હોવું જોઈએ. તેને ક્યારેય આર્થિક સમસ્યા ન થાય તો તમે પણ સરકારની આ શાનદાર સ્કીમમાં રોકાણ શરૂ કરી શકો છો. જો તમે આ ખાસ સ્કીમમાં રોકાણ કરશો તો તમારી દીકરી 21 વર્ષમાં કરોડપતિ બની જશે.

તમારે આ સ્કીમમાં વધારે કંઈ કરવાની જરૂર નથી, બસ આ ખાસ સ્કીમ માટે દરરોજ 416 રૂપિયા બચાવવા પડશે. રોજની 416 રૂપિયાની આ બચત પછીથી તમારી દીકરી માટે 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ જમા થઈ જશે.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?

સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી લાંબા ગાળાની યોજના છે. જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના શિક્ષણ અને ભવિષ્ય વિશે નિશ્ચિંત થઈ શકો છો. આ માટે તમારે વધારે પૈસાનું રોકાણ કરવાની પણ જરૂર નથી. પહેલા નક્કી કરો કે જ્યારે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યારે તમારે તેના માટે કેટલા પૈસાની જરૂર છે. ચાલો તમને તેની સંપૂર્ણ ગણતરી સમજાવીએ.

દીકરીઓ માટે સરકારની મોટી યોજના

દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે સરકારની આ એક લોકપ્રિય યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષ સુધીની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. આમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જ્યારે પુત્રી 21 વર્ષની થશે ત્યારે આ યોજના મેચ્યોર થશે.

જો કે આ યોજનામાં તમારું રોકાણ ઓછામાં ઓછું દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી લૉક કરવામાં આવશે. 18 વર્ષ પછી પણ તે આ સ્કીમમાંથી કુલ રકમના 50% ઉપાડી શકે છે. જેનો ઉપયોગ તે ગ્રેજ્યુએશન અથવા આગળના અભ્યાસ માટે કરી શકે છે. આ પછી તમામ પૈસા ત્યારે જ ઉપાડી શકાશે જ્યારે તે 21 વર્ષની થશે.

ફક્ત 15 વર્ષ માટે જ જમા કરવાના હોય છે પૈસા 

આ સ્કીમની સારી વાત એ છે કે તમારે આખા 21 વર્ષ સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી, ખાતું ખોલાવવાના સમયથી 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવાના રહેશે. જ્યા સુધી દીકરીની ઉંમર 21 વર્ષની ના થઈ જાય ત્યાં સુધી તે પૈસા પર વ્યાજ મળતું રહેશે.

હાલમાં સરકાર આના પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ યોજના ઘરની બે દીકરીઓ માટે ખોલી શકાય છે. જો જોડિયા હોય તો 3 દીકરીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

संबंधित पोस्ट

ભરૂચ:ઝંગાર ગામ નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

Karnavati 24 News

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Admin

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

Admin

પેન્શન લાભાર્થીઓને મોટો ફટકો, આ કામ નહીં થાય તો પેન્શન બંધ થઈ જશે

Karnavati 24 News

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

Karnavati 24 News

રાષ્ટ્રિય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ નાગરિકોને પ્રજાસત્તાક દિને સન્માનિત કરાશે

Karnavati 24 News
Translate »