Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

સુરત શહેરમાં લુખ્ખાતત્વો આતંક સતત વધી રહ્યો છે અસામાજિક તત્વો જાહેરમાં ગુંડાગિરી કરીને લોકો ને હેરાન કરી રહ્યા છે અને ગુનેગારો બેફામ બની ગયા છે ત્યારે આવા તત્વોને ડામી દેવા જરૂરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અભયનગર સોસાયટીના નાકે એક વ્યક્તિ ઉભો હતો તે સમયે માથાભારેની છાપ ધરાવતા રાણા દેવા સાટીયાએ યુવકને ધમકી આપી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા જે ઘટનામાં વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે અંગે તપાસ કરતા બાતમી આધારે આરોપી રાણા દેવાની પોલીસે પકડી પાડ્યો હતો.

જોકે પકડાતા જાણવા મળ્યું હતું કે આરોપી વરાછા વિસ્તારમાં માથાભારે ઇસમની છાપ ધરાવે છે અને તેની સામે અગાવ અનેક પોલીસ મથકમાં 26થી વધુ ગુના નોંધાયેલ છે જેમાં મારામારી હત્યાનો પ્રયાસ લૂંટ ચોરી જેવા અનેક ગુનામાં સંડોવાયેલ આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી હતી આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને લોકોને નુકશાન ન પોહચડે તે હેતુ પોલીસ દ્વારા અનેકવાર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ કોર્ટ માંથી જામીન મેળવી ફરી એકવાર ગુનાને અંજામ આપે છે ત્યારે આવા તત્વોને વહેલી તકે ડામી દેવા જરૂરી બને છે

संबंधित पोस्ट

राज्यमंत्री डॉ. सुभाष गर्ग की फर्जी डीपी लगा बीकानेर डीसी से मांगे डेढ़ लाख रुपए

Karnavati 24 News

જામનગરમાં પટેલ કોલોનો વિસ્તારમાં મિત્રના ઘરે મીત્રએ આપઘાત કર્યો

Karnavati 24 News

યુવતીના પરિવારને પ્રેમ લગ્ન મંજુર ન હોય: યુવતીનું અપહરણ કરી યુવકને ધોકાવી મારી નાખનાર ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News

સુરત : માંડવીના બલાલતીર્થથી પશુઓ ભરેલી ટ્રક પકડાય : 13 ભેંસો ખીચોખીચ ભરી હતી

Admin

ગાંધીનગરમાં દૂધની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ . . . .

Admin

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin