Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે લાઠીના નારાયણનગર અને ધારીના ઝરમાથી 12 જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 24730નેા મુદામાલ કબજે લીધો હતો.

પોલીસે જુગારનો આ દરોડો લાઠીના નારાયણનગરમા પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા યશ જયેશભાઇ રેણુકા, વિશાલ રસીકભાઇ રાઠોડ, અજય રણછોડભાઇ ગોહિલ, સંજય જગદીશભાઇ ડાભી નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રોકડ, મોબાઇલ મળી કુલ રૂપિયા 22710નો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ ચલાવી રહ્યાં છે. જયારે પોલીસે જુગારનો અન્ય એક દરોડો ધારીના ઝરમા પાડયો હતો.

અહી જાહેરમા જુગાર રમી રહેલા વીનુ છનાભાઇ પાટડીયા, અતુલ અરજણભાઇ રાણાવડીયા, આસીફ ઘોહાભાઇ રાઠોડ, ભાવેશ મધુભાઇ કુવારદા, કૌશલ ગોકળભાઇ પાટડીયા, કૌશલ ગોકળભાઇ અને ચતુર ભીખાભાઇ કુવારદા તેમજ ભોળા જીણાભાઇ સાવડીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી 2020ની મતા કબજે લીધી હતી. હેડ કોન્સ્ટેબલ સી.વી.ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. જો કે તેમ છતા છાનેખુણે આ પ્રવૃતિ ધમધમતી જ રહે છે.

संबंधित पोस्ट

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું… ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

Karnavati 24 News

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

અમદાવાદ શહેરમાં 62 હજાર મકાનો વેચાયા વિનાના, મુંબઈમાં અઢી લાખ જાણો અન્ય શહેરોની સ્થિતિ

Karnavati 24 News

CBSE સેમ 1 ના 2021-22 પરિણામો

Karnavati 24 News