Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દિલ્હી: MCDની બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક, યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ

સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં દિલ્હી મહાનગરપાલિકાની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે એમસીડીને યથાસ્થિતિ બનાવી રાખવા કહ્યુ છે. હવે અતિક્રમણ હટાવવા વિરૂદ્ધ દાખલ અરજી પર ગુરૂવારે ફરી સુનાવણી થશે.

મહત્વપૂર્ણ છે કે 16 એપ્રિલે હનુમાન જયંતીના પ્રસંગે કાઢવામાં આવેલી શોભા યાત્રા પર જહાંગીરપુરીમાં પથ્થરમારો થયો હતો, ત્યારથી લઇને અત્યાર સુધી 20થી વધુ આરોપી પકડાઇ ચુક્યા છે. આ વચ્ચે એમસીડીએ જહાંગીરપુરીમાં હાજર ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો છે. આજે કાર્યવાહી પણ શરૂ થઇ હતી. ઘણી હદ સુધી ગેરકાયદેસર કબજા પર બુલડોઝર પણ ચાલી ચુક્યુ છે પરંતુ આ વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે.

દિલ્હી હાઇકોર્ટે પણ સુનાવણી માટે તૈયાર

બીજી તરફ દિલ્હી હાઇકોર્ટ પણ સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. જોકે, કોર્ટે તુરંત એમસીડીની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર હિંસા થઇ હતી. ઉત્તરી દિલ્હી મહાનગરપાલિકાએ હિંસાના આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિઓ પર 20 અને 21 એપ્રિલે બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી હતી. ભાજપે પણ હિંસાના આરોપીના ગેરકાયદેસર ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. આ પહેલા યુપી, એમપી અને ગુજરાતમાં આ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

ગુજરાત પ્રવાસ પર વધુ એક કેન્દ્રીય નેતાઃ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે છે

રાયપુરમાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાઃ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સરકારી હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત

Karnavati 24 News

PM Kisan Schemeને લઈને પીએમ મોદીએ કર્યું ટ્વિટ, આપી સૌથી મોટી ખબર, ઝડપથી કરાવો રજિસ્ટ્રેશન…

Karnavati 24 News

દિલ્હીમાં 500 ત્રિરંગા સ્થાપિત કરવામાં આવશે, આ કામો જોવા માટે સ્વયંસેવકોની સમિતિ બનાવવામાં આવશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી

Karnavati 24 News

નેશનલ ફુડ સિક્યોરિટી મિશન માં ભરતી ની જાહેરાત સામે આવી

Karnavati 24 News

‘કાશ્મીરમાં સિનેમાના નામે ગંદકી સહન નહીં કરીએ’, આતંકવાદી સંગઠન TRFની ધમકી

Karnavati 24 News