Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

આવતીકાલે થશે આલિયા ભટ્ટ- રણબીર કપૂરના લગ્ન, કાકા રોબિન ભટ્ટે આપ્યું મોટું નિવેદન

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. અત્યાર સુધી લગ્નને લગતા નવા અપડેટ સામે આવી રહ્યા છે. તાજેતરમાં આલિયાના સાવકા ભાઈ રાહુલ ભટ્ટે જણાવ્યું હતું કે લગ્ન થઈ રહ્યા છે એ નક્કી છે, પરંતુ 13 કે 14 એપ્રિલે નથી થઈ રહ્યા. રાહુલે જણાવ્યું હતું કે મીડિયામાં લગ્નની તારીખ લીક થવાને કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં લગ્નની તારીખ જાહેર કરવામાં આવશે.

કાલે છે લગ્ન

જોકે હવે આલિયાના કાકા રોબિન ભટ્ટે જણાવ્યું છે કે બધુ પ્લાન મુજબ ચાલી રહ્યું છે અને લગ્નની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેણે જણાવ્યું કે તેને લગ્નની તારીખમાં ફેરફાર અંગે કોઈ માહિતી નથી. તેણે જણાવ્યું કે જ્યાં સુધી મને જાણકારી છે શેડ્યૂલ મુજબ લગ્ન 14 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. એટલે કે આલિયા અને રણબીર આવતીકાલે લગ્ન કરશે.

મુંબઈ પહોંચી રિદ્ધિમા

લગ્નના સમાચાર વચ્ચે રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ 12 એપ્રિલે મુંબઈ પહોંચી ગઈ છે. રિદ્ધિમા મંગળવારે મુંબઈ એરપોર્ટ પર પતિ ભરત સાહની અને પુત્રી અદારા સાથે નજરે પડી હતી. આ દરમિયાન જ્યારે રિદ્ધિમાને રણબીર-આલિયાના લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. જો કે તેણે પાપારાઝીને ટૂંક સમયમાં ફરીથી મળવાનું કહ્યું.

संबंधित पोस्ट

52 ના આર. માધવન : માત્ર એક અભિનેતા જ નહીં, એક મહાન વક્તા, 7 ભાષાઓના જાણકાર, વ્યક્તિત્વ વિકાસની દુનિયામાં જાણીતું નામ

Karnavati 24 News

કોરોનાની ભયાનકતાઃ બોલિવૂડ બાદ હવે ટેલિવિઝન સ્ટાર પણ કોરોનાની ચુંગાલમાં! આ લોકપ્રિય અભિનેતાને કોરોનાનો ચેપ લાગ્યો .

Karnavati 24 News

ડેવિડ ધવનની બીમારી દરમિયાન કામ કરવા પર વરુણે કહ્યું- તે હંમેશા ઈચ્છે છે કે હું મારી કમિટમેન્ટ્સ પૂરી કરું

Karnavati 24 News

Dada Saheb Phalke International Film Awards : રણવીર સિંહ, કિયારા અડવાણીથી લઈને રૂપાલી ગાંગુલી સુધી, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી

Karnavati 24 News

KBC 14: જયા બચ્ચનની ફરિયાદોથી નારાજ અમિતાભ બચ્ચન! પરિણીત પુરુષોને ખાસ સલાહ આપી

Admin

શાહરૂખ ખાન ના દેશના છો, તમારી પર વિશ્વાસ છે, પૈસા વગર થઇ ગયુ મહિલાનું કામ

Karnavati 24 News