બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. અત્યાર સુધી લગ્નને લગતા નવા અપડેટ સામે આવી રહ્યા છે. તાજેતરમાં આલિયાના સાવકા ભાઈ રાહુલ ભટ્ટે જણાવ્યું હતું કે લગ્ન થઈ રહ્યા છે એ નક્કી છે, પરંતુ 13 કે 14 એપ્રિલે નથી થઈ રહ્યા. રાહુલે જણાવ્યું હતું કે મીડિયામાં લગ્નની તારીખ લીક થવાને કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં લગ્નની તારીખ જાહેર કરવામાં આવશે.
કાલે છે લગ્ન
જોકે હવે આલિયાના કાકા રોબિન ભટ્ટે જણાવ્યું છે કે બધુ પ્લાન મુજબ ચાલી રહ્યું છે અને લગ્નની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેણે જણાવ્યું કે તેને લગ્નની તારીખમાં ફેરફાર અંગે કોઈ માહિતી નથી. તેણે જણાવ્યું કે જ્યાં સુધી મને જાણકારી છે શેડ્યૂલ મુજબ લગ્ન 14 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. એટલે કે આલિયા અને રણબીર આવતીકાલે લગ્ન કરશે.
મુંબઈ પહોંચી રિદ્ધિમા
લગ્નના સમાચાર વચ્ચે રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ 12 એપ્રિલે મુંબઈ પહોંચી ગઈ છે. રિદ્ધિમા મંગળવારે મુંબઈ એરપોર્ટ પર પતિ ભરત સાહની અને પુત્રી અદારા સાથે નજરે પડી હતી. આ દરમિયાન જ્યારે રિદ્ધિમાને રણબીર-આલિયાના લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. જો કે તેણે પાપારાઝીને ટૂંક સમયમાં ફરીથી મળવાનું કહ્યું.