Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

અનેક સરકારી ભરતી કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ કરીને 307 કલમ મુજબ જેલ હવાલે કર્યા હતા જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છવાઈ ગયો છે આજે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી કરણી સેના રાજપૂત સેવા સમાજ સહિતના લોકોએ વિદ્યાર્થી નેતા ને ન્યાય અપાવવા અને તેની સામે થયેલી ખોટી ફરિયાદ પાછી ખેંચી લેવા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યુવરાજસિંહને છોડાવવા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ થોડા સમય પહેલા પેપર લીક કાંડ નો પર્દાફાસ કર્યો હતો જેનો ખાર રાખી સરકારે તેના પર ખોટા કેસ દાખલ કર્યા છે જેને લઇ આજે જૂનાગઢના વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ હતો અને તેઓની માંગ છે કે તાત્કાલિક યુવરાજ સિંહને છોડવામાં આવે અને સરકાર તેના ઉપર ખાર રાખી રહી હોય તેવો પણ કરણી સેના ના લોકો તથા રેલીમાં જોડાનાર એ લોકોએ આક્ષેપ કર્યા હતા અને આ અંગે તાત્કાલિક યુવરાજસિંહની જેલ મુક્તિ થાય તેવી પણ માંગ ઉઠી હતી

संबंधित पोस्ट

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

Karnavati 24 News

અમદાવાદમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મામલે નિંદા થતા અધિકારીઓને એક્શન લેવા અપાયા આદેશ

Karnavati 24 News

શું તમે પણ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો? પાંચ લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે આ રીતે ચેક કરો

Admin

માતાજીની માનતા પુરી કરી પરત ફરેલા લોકોને નડ્યો અકસ્માત,ધારીના ધારગણી નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 1 નું મોત : 5 લોકોને નાની-મોટી ઇજા

Karnavati 24 News

જ્ઞાનવાપી પર આજે નવા કેસની સુનાવણી: વિશ્વ વૈદિક સનાતન સંઘની માંગ – મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ;

Karnavati 24 News

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News