Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

કચ્છના 1.80 લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો : રાસાયણિક ખાતરના વધતા ભાવ નિયંત્રણમાં લાવવા રજુઆત

કચ્છમાં ખાતરના વધતા જતા ભાવના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે , જેથી ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા રાપરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે . તમામ ચીજવસ્તુઓમાં આવેલા ભાવવધારાના કારણે ખેતીનો ખર્ચ પુષ્કળ પ્રમાણમાં વધી જાય છે અને ખેતીમાં પુષ્કળ ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતાં નુકસાની વેઠવી પડે છે . અનિયમિત વીજળી અને પેટ્રોલ – ડીઝલના ભાવમાં આવેલા ઉછાળાના પગલે ખેડૂતોને ખેતીને લગતા સાધનો ચલાવવા મુશ્કેલ બન્યા છે . ભાવ વધારાથી કચ્છના અંદાજિત 1.80 લાખથી વધુ ખેડૂતો ઉપર આર્થિક બોજો વધી ગયો છે . જિલ્લામાં ઉનાળુ સિઝન માટે રોપાણનું કામ ચાલુ છે તેવામાં સલ્ફેટ ડી.ઈ.પી. સહિતના ખાતરના ભાવમાં 10 થી 15 ટકા એટલેકે , રૂ .150 થી રૂ .280 નો ડામ અપાયો છે . પેટ્રોલ – ડિઝલ , ખાતરના વધતા ભાવથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . ખેતી પાછળ વધતા જતા ખર્ચની સામે આવક ઓછી થઇ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે . જો આવી સ્થિતિ રહી તો ખેડૂતોને ખેતી ક૨વી મોંઘી બનશે અને નાછૂટકે ખેડૂતો ખેતી કરવાનું મૂકી દેશે.

संबंधित पोस्ट

બોપલ-ઇસ્કોન થી મણીનગર તરફ આવતી BRTS ની એક બસ રાત્રી ના ૯ : ૦૦ કલાક ની આસપાસ કાંકરિયા થી રામબાગ BRTS ટ્રેક માં BRTS ની બસ બગતાં પાછળ આવતી અન્ય બે BRTS ની બસ ના મુસાફરો થયાં પરેશાન,

Karnavati 24 News

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

પંજાબ સરકારના આરોગ્ય મંત્રીની ધરપકડઃ CM માનને થોડા સમય પહેલા બરતરફ કર્યા હતા, ટેન્ડર અને હોર્સ ટ્રેડિંગમાં 1% કમિશનનો આરોપ હતો

Karnavati 24 News

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Karnavati 24 News

હવામાનની આગાહી: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 55 દિવસ, જેમાં વધુ વરસાદ પડશે; ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પૂર અને લેન્ડ સ્લાઇડને કારણે નુકસાનનો ભય

Karnavati 24 News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત