કચ્છમાં ખાતરના વધતા જતા ભાવના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે , જેથી ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા રાપરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે . તમામ ચીજવસ્તુઓમાં આવેલા ભાવવધારાના કારણે ખેતીનો ખર્ચ પુષ્કળ પ્રમાણમાં વધી જાય છે અને ખેતીમાં પુષ્કળ ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતાં નુકસાની વેઠવી પડે છે . અનિયમિત વીજળી અને પેટ્રોલ – ડીઝલના ભાવમાં આવેલા ઉછાળાના પગલે ખેડૂતોને ખેતીને લગતા સાધનો ચલાવવા મુશ્કેલ બન્યા છે . ભાવ વધારાથી કચ્છના અંદાજિત 1.80 લાખથી વધુ ખેડૂતો ઉપર આર્થિક બોજો વધી ગયો છે . જિલ્લામાં ઉનાળુ સિઝન માટે રોપાણનું કામ ચાલુ છે તેવામાં સલ્ફેટ ડી.ઈ.પી. સહિતના ખાતરના ભાવમાં 10 થી 15 ટકા એટલેકે , રૂ .150 થી રૂ .280 નો ડામ અપાયો છે . પેટ્રોલ – ડિઝલ , ખાતરના વધતા ભાવથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . ખેતી પાછળ વધતા જતા ખર્ચની સામે આવક ઓછી થઇ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે . જો આવી સ્થિતિ રહી તો ખેડૂતોને ખેતી ક૨વી મોંઘી બનશે અને નાછૂટકે ખેડૂતો ખેતી કરવાનું મૂકી દેશે.