Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

આપના બન્ને દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા જ બનેલા મુખ્યમંત્રી ભગવંત માન અા બન્ને આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમના બન્નેનો ભવ્ય રોડ શો નિકોલ વિસ્તારમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં ધોમધખતા તાપમાં પણ હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ સહીતના લોકો અેકત્રિય અત્યારથી જ થઈ ચૂક્યા છે.

નિકોલ ઉત્તમ નગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શોની શરૂઆત ટૂંક જ સમયમાં થશે. દોઢ કલાકથી 2 કલાક જેટલો રોડ શો ચાલશે. જો કે આ પહેલા આ રોડ શો નિકોલ ગામ ખોડીયાર મંદિરથી શરૂ કરી ઠક્કરબાપા નગર બ્રિજના છેડા સુધી હતો. રોડ શો શા માટે ટૂંકાવવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે થયેલા હુમલા બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી છે. આજે જ ગાંધી આશ્રમની બન્ને નેતાઓની મુલાકાતમાં ગાંધી આશ્રમમાં પણ 2 ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા.
ગઈ કાલે બેનરો ઉતારી લેવાતા આપના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અસારવા વિસ્તારમાં જ રોડ શોના બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા. આપના કાર્યકર્તાઓનું ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં અેવું કહેવું હતું કે, બીજેપી બન્ને નેતાઓની એકસાથેની મુલાકાતમાં ભાજપ સરકાર ડરી ગઈ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે મોટી સંખ્યામાં આ રૂટની અંદર આપના કાર્યકર્તાઓ અને સમર્થનો વગેરે અત્યારથી જ જોડાઈ ચૂક્યા છે.

संबंधित पोस्ट

આ વખતે આ રહેશે ચૂંટણી દરમિયાન વ્યવસ્થા, રેડ લાઈટ એરીયામાં પણ વ્યવસ્થા

Admin

गुजरात चुनाव: आचार संहिता उल्लंघन मामला, चुनाव आयोग बना ने पीएम को दी क्लीनचीट

Admin

ભાજપના ધારાસભ્ય ભરત પટેલનું વિવાદિત નિવેદન , કહ્યું- હું જ્યારે ઇચ્છું ત્યારે રમખાણો કરાવી શકું છું

Karnavati 24 News

હાર્દિક પટેલ 2 જૂને BJPમાં જોડાશે: CM આપશે સભ્યપદ; રાહુલ પર આરોપ લગાવીને કોંગ્રેસ છોડી, પ્રદેશ અધ્યક્ષ કાર્યકારી હતા

Karnavati 24 News

 મોડી રાત સુધી ચાલી વાપી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી

Karnavati 24 News

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

Karnavati 24 News