Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કચ્છના રણ રસ્તાની નાસાના ઉપગ્રહમાંથી પ્રથમ તસવીર : બંને બાજુ રણ અને વચ્ચે રસ્તાનું અલૌકિક દ્રશ્ય

કુદરતે કચ્છને સુંદરતા ભરપૂર માત્રામાં આપી છે. રણ, ડુંગર અને દરિયો ધરાવતા આ પ્રદેશની અવનવી તસવીરો બહાર આવતી હોય છે. કચ્છના રણની પણ સેટેલાઇટ તસવીરો ભારત સહિત દુનિયા ભરની સ્પેસ એજન્સીઓ જાહેર કરતી હોય છે . તેવામાં હાલ ઘડુલી – સાંતલપુર માર્ગના ભાગરૂપે પચ્છમથી ખડીર ( ધોળાવીરા ) ને જોડાતા રણ રસ્તાનું કામ ચાલુ છે . માનવ ઇતિહાસમાં પ્રથમ વખત અહીં માર્ગ બની રહ્યો છે ! હાલ માત્ર માટીકામ થયું છે પણ વાહન – વ્યવહાર શરૂ થઇ ગયો છે . બન્ને બાજુ રણના લીધે આ માર્ગ પર અલૌકિક સુંદરતાનું નિર્માણ થાય છે . અનેક પ્રવાસીઓ તો આ માર્ગને સ્વર્ગના માર્ગ તરીકે ઉપમા આપી રહ્યા છે . હવે આ રસ્તાની પ્રથમ સેટેલાઇટ તસવીરો પણ મેળવી છે . અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના અત્યાધૂનિક સેટેલાઇટ લેન્ડસેટ -૯ ના ડેટાનો ઉપયોગ કરી આ રણ રસ્તાની પ્રથમ વખતે સેટેલાઇટ તસવીર મેળવાઇ છે . જેમાં કચ્છના અફાટ મોટા રણને ચીરતો રસ્તો માટીની સીધી લીટી પ્રકારે સ્પષ્ટ દેખાય છે . તસવીરમાં કાળો ડુંગર અને ખડીરની ટેકરીઓ જોઇ શકાય છે . ઉપગ્રહ લેન્ડસેટ ૯ ને અમેરિકામાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો . નાસા ઉપગ્રહના નિર્માણ , પ્રક્ષેપણ અને પરીક્ષણની જવાબદારી સંભાળે છે , જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે ઉપગ્રહનું સંચાલન કરે છે અને ડેટા આર્કાઇવનું સંચાલન અને વિતરણ કરે છે . લેન્ડસેટ પ્રોગ્રામમાં તે નવમો ઉપગ્રહ છે . લેન્ડસેટ પ્રોગ્રામ પૃથ્વીની સેટેલાઇટ ઇમેજના સંપાદન માટે સૌથી લાંબા સમય સુધી ચાલતું કાર્યક્રમ છે . લેન્ડસેટ ઉપગ્રહોએ અત્યારસુધી લાખો તસવીરો મેળવી છે .

संबंधित पोस्ट

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે શહેરની મુલાકાત પ્રભારી ઋષિકેશ પટેલે લઈ સમીક્ષા કરી

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

આનંદ ઉલ્લાસના પર્વ મકર સક્રાંતિના આગમનને લઈને જામનગરની બજારોમાં રોનક વધી

Karnavati 24 News

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

Karnavati 24 News