Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં શરુ થયો આંતરીક વિખવાદ, કોણ થયું નારાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ પૂરવ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રદેશ માળખાની જાહેરાત છે એ પહેલાજ નારાજગી સામે આવી રહી છે.

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં આંતરીક વિખવાદ શરુ થઈ ગયો છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ તેને લઈને સોશિયલ મીડીયા પર એક પોસ્ટ જારી કરી છે.

તેમણે પોસ્ટમાં લખ્યું કે, વફાદારીથી રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. બધુ આપને ગમે એવું થોડું થાય, જ્યાં હોય ત્યાં વફાદારીથી રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. છતાંય ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ અભીનંદન. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા માળખું જાહેર થતા રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં અર્જુન ખાટરીયાની નિમણુક થતા આ નારાજગી વ્યક્ત થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ તરફથી મોડી રાત્રે કરવામાં આવી હતી. ગઈ કાલે જ તમામ ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો વગેરેને અમદાવાદમાં એકત્રિત થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ માળખુ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 25 પ્રદેશ ઉપાધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 75 જનરલ સેક્રેટરીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ પૂરવ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રદેશ માળખાની જાહેરાત છે એ પહેલાજ નારાજગી સામે આવી રહી છે.

संबंधित पोस्ट

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈના રોજ યોજાશે

Karnavati 24 News

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

Karnavati 24 News

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ જોવા મળી

શાહબાઝ શરીફ સરકાર માટે મોટી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ ફરી એક વખત ખખડાવ્યા

Karnavati 24 News

પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ

Karnavati 24 News