Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત : પલસાણાના ચલથાણમાં રેલવે યાર્ડમાં ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું રો મટીરીયલ ઠલવાય છે : પ્રજા ત્રાહિમામ !

સુરત ભૂસાવલ રેલવે લાઇન પર આવેલા ચલથાણ રેલવે સ્ટેશન યાર્ડ પર છેલ્લા કેટલાક સમયથી દિવસ રાત ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું પાવડર ફોમમાં રો મટિરિયલ ઠલવાય છે. પાવડરની રજકણ હવામાં ભળવાને કારણે પર્યાવરણને તેમજ માનવ શરીરને નુકશાન કરે છે. આ બાબતે ચલથાણ પંચાયત, GPCB તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓને મળી સમસ્યાનો નિકાલ લાવવાની તજવીજ હાથધરી છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામે રેલવે યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટમાં વપરાતા રોમટેરીયલ ગુડ્સ ટ્રેન મારફતે પ્લેટફોર્મ પર ખાલી કરીને ટ્રકોમાં ભરી જેતે સ્થળે પહોંચાડવા આવે છે. ટ્રેનમાં આવતું રોમટેરિયલ પાવડર સ્વરૂપે હોય છે અને ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર ઠાલવી GCB મશીન દ્વારા ટ્રકોમાં ભરતી વખતે પાવડરની રજકણો ઉડી હવામાં ભળી હવાને દૂષિત કરે છે. તો બીજી તરફ આ ટ્રકોમાં ભરેલો પાવડર યાર્ડ માંથી જે તે સ્થળે લઈ જતી વખતે ડમફર ટ્રકોમાં બેફામ ઓવરલોડ મટેરિયલ ભરી ચલથાણના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટ્રકમાં ઓવરલોડ ભરેલું મટેરિયલ રસ્તા પર વેરાય છે અને વાહનો સ્લીપ થવાનો ભય રહે છે અને ટ્રકમાં ઓવરલોડ પાવડર સ્વરૂપે ભરેલા રોમટેરિયલ પર તાડપત્રી નહિ બાંધવાના કારણે ચાલુ ગાડીમાંથી પાવડરની રજકણો ઉડી વાહન ચાલકોના આંખમાં પડે છે, જેના કારણે અકસ્માત સર્જવવાનો ભય રહે છે. કેટલીક વખત યાર્ડમાંથી નીકળતા આ વાહનો બેફામ અને ગફલત રીતે ચલથાણના મુખ્ય માર્ગો પર દોડતા નાના મોટા અકસ્માતો સર્જાય છે. યાર્ડમાં ઠલવાતા સિમેન્ટ રો -મટેરિયલથી સર્જાતી સંખ્યાબંધ સમસ્યાને લઈ ચલથાણ પંચાયત એક્શનમાં આવી આ બાબતે રેલવે વિભાગ તેમજ GPCBને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. રેલવે યાર્ડમાંથી ઊડતી આ રજકણના કારણે રેલવે સ્ટેશન આસપાસની સોસાયટીના રહીશો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે એ રજકણ શ્વાસમાં જવાથી સંખ્યાબંધ લોકોને શ્વાસની તફલીક તેમજ બીમારી થવાની ઘટનાનો સામે આવી છે. તો આ રજકણો ઘરમાં નહિ આવે તે માટે ગૃહિણીએ આખો દિવસ ઘરના દરવાજા બંધ રાખવા પડે છે, તેમજ ઘરની છતનો ઉપયોગ પણ કરી શકતા નહિ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એ બાબતે તંત્ર વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એ જરૂરી બન્યું છે. આ સિમેન્ટ મટીરિયલની ડસ્ટ એટલી હાનિકારક છે કે, શ્વાસમાં જવાથી શ્વાસના રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે. વળી બેફામ ઓવરલોડ ટ્રકો પણ માતેેલા આખલા સમાન બજારમાં બેફામ દોડતા છાશ વારે અકસ્માત સર્જાય છે. એ બાબતે અમે જવાબદાર તંત્રને પહેલા નોટિસ આપીશું અને જરૂર પડ્યે તો ટ્રકો અટકાવીશું. – મહેન્દ્ર દેસાઈ, સરપંચ, ચલથાણ પંચાયત

संबंधित पोस्ट

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News

બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા:સુરતમાં પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

Karnavati 24 News

રાજકોટ સીટી બસ ફરી વિવાદમાં: વધુ ૧૨ કન્ડક્ટરને ટેમ્પરરી અને એક કન્ડક્ટરને કાયમી માટે કરાયા સસ્પેન્ડ

Admin

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 3 ડિગ્રી વધતાં પારો 8 ડિગ્રીએ પહોંચ્યો, હજુ 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે

Karnavati 24 News

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin