Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે!, માર્ચના અંતમાં રાજકીય ભાવીનો ફેસલો કરશે

ગુજરાતના રાજકારણમાં વિધાનસભા ચૂંટણી પહેલા નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સમાવવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પછી હવે ભાજપે પણ આમંત્રણ આપ્યુ છે. નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે પોતાનું નિવેદન આપ્યુ છે. નરેશ પટેલે કહ્યુ કે 20થી 30 માર્ચ વચ્ચે યોગ્ય નિર્ણય કરીશ.

નરેશ પટેલે કહ્યુ કે રાજકારણ અંગે યોગ્ય સમયે સમાજ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ. નરેશ પટેલે કહ્યુ કે, મારી વ્યક્તિગત ઇચ્છા છે કે મારે રાજકારણમાં જોડાવવુ જોઇએ. જોકે, હજુ સુધી નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે કોઇ નિર્ણય કર્યો નથી. નરેશ પટેલે કહ્યુ કે, રાજકારણમાં જઇને પ્રધાન બનવુ નથી, લોકો સુધી પહોચવાનું છે.

કોંગ્રેસમાં જોડાઇ શકે છે નરેશ પટેલ

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો વિધાનસભાની 50 બેઠક પર અસર થશે. નરેશ પટેલ પાટીદાર અગ્રણી છે.

નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવા માટેની પૂર્વ ભૂમિકા તૈયાર હોય તેમ લાગી રહ્યુ છે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો તેમણે મુખ્યમંત્રીનો ચહેરો કે નાયબ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવી શકે છે.

संबंधित पोस्ट

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નાં આગમન ને લઇને બેઠક યોજાઈ

Karnavati 24 News

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે,પ્રિયંકા ગાંધી પણ ટુક સમયમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News

સોમવારે રાહુલ ગાંધી પહોંચશે અમદાવાદ, ઉમેદવારોના પ્રથમ લિસ્ટ પર પસંદગી ઉતારશે

Karnavati 24 News