Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

હેરિએટ જહાજને ક્લીયરન્સ બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114માં બીચ કરવામાં આવ્યું

ગત ડિસેમ્બરમાં ચર્ચાના એરણે ચડેલું અને અનેક અનિયમીતતાઓ વચ્ચે ઘેરાયેલા જહાજ હેરિએટને તમામ પ્રકારના ક્લીયરન્સ બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114માં બીચ કરાવવામાં આવ્યુ છે. જહાજના માલીક પાસેથી બેંક ગેરન્ટી વસુલી અને અનુમતિઓ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

હેરિએટ જહાજનો આઇએમઓ નંબર ખોટો હોવાના આરોપસર તેની અટક કરવામાં આવી હતી. આ જહાજના મૂળ માલીક બ્લૂ વન ટ્રેડિંગ – દુબઇ હતા અને અંતિમ ખરીદનાર પ્લોટ નં.114 રાજેન્દ્ર શિપબ્રેકર્સ પ્રા.લિ. છે. આ બંને વચ્ચે ખરીદ-વેચાણના એમઓયુ થયા છે. આ પ્રકરણમાં દલાલની ભૂમિકા અદા કરનારા સુનિલ નારાયણન અને શિપિંગ એજન્ટ લોટસ ડેન શિપિંગના ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને 22 દિવસ જેલમાં વિતાવ્યા બાદ જામીન મળ્યા હતા. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જહાજના મુળ માલીક અને અંતિમ ખરીદનારને માત્ર પુછપરછ કરીને જવા દેવાયા હતા, તેથી ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ભૂમિકા પણ ચર્ચામાં આવી છે.

સામાન્ય રીતે રેવન્યૂ લોસ અંગેની ગેરરીતિઓ સામે કાર્યવાહી કરતા ડીઆરઆઇ દ્વારા ખોટા આઇએમઓ નંબર વાળું શિપ હેરિએટ સીઝ કરી અને બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી

संबंधित पोस्ट

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

૩૬૫ દિવસ જૂનાં કપડાં ભેગા કરીને ગરીબોને ગામો ગામ પહોંચાડી સમાજ સેવા કરતી સંસ્થા નિજાનંદ પરિવાર નિજાનંદ પરિવાર ભાવનગરને જૂનાં કપડાં ગરીબો માટે

Karnavati 24 News

भारत छोड़ो आंदोलन में फूट-फूटकर रोने लगी लड़की राहुल गांधी ने बताई वजह !

Admin

પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે

Karnavati 24 News

 જામનગરના સાંસદ દ્વારા વિયેટનામ એસેમ્બલી ચેરમેન વુઓંગ દિન્હ હુએ અને હાઈ લેવલ પાર્લામેન્ટ્રી ડેલીગેશનનું સ્વાગત કરાયું

Karnavati 24 News

દિલ્હીમાં 500 ત્રિરંગા સ્થાપિત કરવામાં આવશે, આ કામો જોવા માટે સ્વયંસેવકોની સમિતિ બનાવવામાં આવશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી

Karnavati 24 News