Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

મહુવા તાલુકાના વાંસકુઈ ગામે 2 વર્ષ બાદ ભરાયેલ ગોળીગઢ મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. હોળીના આગલા રવિવારે ભરાતા આ મેળામાં શનિવાર રાત્રીથી જ મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા હતા અને ગોળીગઢ બાપુના જુના અને નવા મંદિરે બાધા માનતા ચઢાવી હતી. ગોળીગઢ બાપુનો મેળો 2 વર્ષ બાદ ભરાતા 4 લાખથી વધુ ભક્તો મેળામાં આવી બાપુના દર્શન કરી બાધા માનતા ચઢાવી હોવાનુ મંદિરના ટ્રસ્ટી દ્વારા જણાવવામા આવ્યુ હતુ અને ભક્તો દ્વારા મેળામાં લાગેલ 2500થી વધુ સ્ટોલોનો અને 15 જેટલી નાની મોટી રાઈડો અને આનંદ પ્રમોદના સાધનોની મજા માણી હતી.આયોજકોના મતે અત્યાર સુધી પહેલીવાર આટલા ભક્તોએ ગોળીગઢ બાપુના દર્શન કર્યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી મોટી સંખ્યામાં ભકતો ઉમટ્યા હતા.લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા વાંસકુઈ ખાતે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત 280 વધુ પોલીસ સ્ટાફની બાજ નજર વચ્ચે પણ ઘણા ભક્તોના પાકીટ અને મોબાઈલ ચોરાયા હોવાના બનાવો બન્યા હતા. મહુવા તાલુકામાં બે વર્ષ બાદ યોજાયેલ પ્રસિદ્ધ ગોળીગઢ મેળામાં ખાનગી માલિકોએ પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં કોઈ કસર બાકી રાખી ન રાખતા દર્શને આવનાર ભક્તોમા ભારે નિરાશા ફેલાઈ ગઈ હતી. પે અન્ડ પાર્કિંગના નામે મનફાવે તેટલા પાર્કિંગ દર ઉઘરાવીને મોટરસાયકલ કાર ચાલકો લૂંટાઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું.ખાનગી કાર અથવા રીક્ષા, ટેક્સી જો થોડીક મિનિટ સુધી પણ પાર્ક કરે તો 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવ્યા હતા. ખાનગી માલિકો દ્વારા પાર્કિંગ માટે આટલા ઊંચા દરો વસૂલીને માનવતા ભુલવાની સાથે સ્થાનિક તંત્રની આંખમાં ધૂળ નાખીને પ્રવાસીઓ અને રીક્ષા, કાર, મોટરસાયકલ ચાલકોની લૂંટ ચલાવી હતી. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી જ્યારે માનતા પૂર્ણ કરવા આવ્યા ત્યારે પાર્કિંગ ફીના નામે ખાનગી માલિકોએ ખુલ્લેઆમ લૂંટ ચલાવતા લોકોમાં રોષ ફેલાયો હતો.

संबंधित पोस्ट

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin

રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Admin

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

CIFRI Kolkata में 1 पद पर निकली भर्ती। अधिक जानकारी के लिए नीचे क्लिक करें।

Karnavati 24 News

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin