યુક્રેનથી દિવનો વિદ્યાર્થી પરત ફરતા તેમના મા-બાપ મા છવાઈ ખુશીની લહેર
હાલ યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે ભારતના ઘણા વિદ્યાર્થીઓ એમબીબીએસ નું ભણવા ગયા હતા હાલની પરિસ્થિતિ યુદ્ધ બાબતે ભયાનક નીવડી છે જ્યારે આજે
દીવના વણાંકબારાનો રહેવાસી અને નરસિંહ રાઠોડનો યુવાન પુત્ર જૈનિક જે યુક્રેનમાં એમબીબીએસના લાસ્ટ યરમાં અભ્યાસ કરી રહેલ છેલ્લા દસ દિવસથી યુક્રેન અને રશીયામાં યુદ્ધ સર્જાતા ભારત દેશના યુવાન વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા દીવના વણાંકબારાનો જૈનિક પણ યુક્રેન હોય જેની જાણ પ્રશાસક પ્રફુલ પટેલને કરતા પ્રશાસકે તાત્કાલીક કાર્યવાહી કરી અને આજે આ જૈનિક દીવ પરત આવી જતા સમગ્ર દીવ જીલ્લામાં
ખુશીની લહેર છવાઈ હતી.
૪.૩૦ કલાકે દીવ કલેકટર ફવવર્મન બ્રહમા, એડિશનલ ડિસ્ટ્રીક મેજી.વિવેકકુમાર જૈનિકના ઘરે જઈ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યુ અને કલેકટરે યુક્રેનમાં થયેલ તકલીફ અને દીવ સુધીની મંજીલ પૂરી કરી તે જૈનિક સાથે વાત સાંભળી આ ઉપરાંત દીવ જીલ્લા ભાજપ પ્રમુખ બિપિન શાહ, દીવ જીલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણીયા સરપંચ મીનાક્ષીબેન જીવન, અશ્વિનીબેન ભરત, ચિંતકભાઈએ પણ જૈનિકને મળી ખુશીમાં જોડાયા હતા.