Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

પેશાવરના રોચા રિસાલદાર વિસ્તારમાં કિસ્સા ખ્વાની બજાર સ્થિત એક મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધી શકે છે અને આ એક આત્મઘાતી હુમલો હતો. હુમલામાં 2 સુરક્ષા કર્મીના મોતના પણ સમાચાર છે.

બચાવ દળ ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલ લઇ જઇ રહ્યા છે જ્યારે સ્થાનિક લોકો પણ ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં મદદ કરી રહ્યા છે. જિયો ન્યૂઝે જણાવ્યુ કે પોલીસ અને સુરક્ષા ટીમોએ વિસ્તારની ઘેરાબંધી કરી પુરાવા ભેગા કરવાના શરૂ કરી દીધા છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાનું કહેવુ છે કે 10 ઘાયલની સ્થિતિ ગંભીર છે.
આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઇએ લીધી નથી. રાવલપીડિંથી પેશાવરનું અંતર 190 કિલોમીાટર છે. રાવલપિંડીમાં અત્યારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આત્મઘાતી હુમલા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ થતા મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓને પહોચાડવામાં આવી રહ્યા છે.

संबंधित पोस्ट

છેલ્લાં આઠ વર્ષથી સગીર બાળાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

Karnavati 24 News

સોનું અને ચાંદી મોંઘા થયા પછી પણ ગ્રાહકોએ સસ્તી ખરીદી કરવી જોઈએ

Karnavati 24 News

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

NCP પદ ગ્રહણ સમારોહ

Karnavati 24 News

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News