Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

23 માર્ચ સુધી પાટીદારો પર થયેલા કેસ પાછા નહી ખેચાય તો ફરી આંદોલન: હાર્દિક પટેલ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરીને પાટીદારો પર આંદોલન સમયે થયેલા કેસને પાછા ખેચવાની રજૂઆત કરી છે. હાર્દિક પટેલે આ સાથે જ ચિમકી ઉચ્ચારી છે કે 23 માર્ચ પછી પાટીદારો પર થયેલા કેસ પરત ખેચવામાં નહી આવે તો ફરી રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસને પરત ખેચવાની માંગ કરી છે. પાટીદાર ધારાસભ્યો અને સાંસદોની મુખ્યમંત્રીને રજૂઆત છતા પણ પાટીદારો સામેના કેસને પરત ખેચવામાં આવ્યા નથી. પાટીદાર અનામત આંદોલનનો બધાને લાભ મળ્યો છે. 6માર્ચે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનો સાથે સંવાદ કરવામાં આવશે. આગામી 23 માર્ચથી રાજ્યમાં આવેદનપત્ર આપવામાં આવશે. હાર્દિક પટેલે કહ્યુ કે મારા કેસ છોડી બીજા કેસને પરત ખેચો.મહત્વપૂર્ણ છે કે વર્ષ 2015માં રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર કેસ કરવામાં આવ્યા હતા. સાંસદ મોહન કુંડારિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદારો પરના કેસને પરત ખેચવાની માંગ કરી હતી. આ સાથે જ સાંસદ રમેશ ધડૂક પણ પાટીદારો પરના કેસને પરત ખેચવાની માંગ અનેક વખત કરી ચુક્યા છે.

संबंधित पोस्ट

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માતઃ લાકડા ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર વચ્ચે અથડામણ બાદ લાગી આગ

Karnavati 24 News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન કરાયું.લોક અદાલતમાં 2900 કેસો મુકવામાં આવ્યા.

Karnavati 24 News