Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

ઉત્તર પ્રદેશમાં હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને તે માટે સુરતમાં રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા વિજય પ્રાપ્તિ માટે મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતાં. રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા જણાવાયુ હતું કે ઉત્તર પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી તરીકે યોગી આદીત્યનાથ જંગી બહુમતીથીથી ચુંટાઈ આવે અને ઉત્તર પ્રદેશના વિકાસ સાથે ઉત્તર પ્રદેશને સમૃદ્ધિ તરફ લઈ જાય તે માટે શનિદેવની અસીમ કૃપાથી મંગળવારના રોજ યોગી આદિત્યનાથના વિજય પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરૂદ્ર અને દુર્ગાયજ્ઞનું આોજન કરાયુ હતું. ઓલપાડના કરમલા રોડ પર આવેલ ઈસનપોરમાં શનિવેદ ગો શાળા ખાતે રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું. જેમાં મહંત અને પંડિતો દ્વારા આ મહા યજ્ઞ કરાયુ હતું અને હવનમાં યોગીજીના ભવ્ય વિજય પ્રાપ્તિ માટે સંકલ્પ અને મંત્રોચ્ચાર ની સાથે સાથે આહુતી નાંખવામાં આવ્યુ હતું. હવન યજ્ઞને વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક તરીકે શ્રેષ્ઠ મનાઈ છે.

संबंधित पोस्ट

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિષે આપ્યું આ નિવેદન

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાશે

Admin

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

Karnavati 24 News

કાળને કોણ રોકી શકે ? ઓલપાડ ટેક્સટાઇલ યુનિટમાં કામ કરતો યુવક પરત ફરતો અને કન્ટેનરચાલકે અડફેટે લેતા મોતને ભેટ્યો

Karnavati 24 News

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News