Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

TMC ના સાંસદ મહુવા મોઇત્રા દ્વારા જૈન સમાજ પર કરવમાં આવેલ ટીપણી ના વીરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ પણ જૈન સમાજને સમર્થન આપ્યું પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યુ હતું કે, પરિવાર કે જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને માં અમદાવાદની ગલીઓમાં કબાબ અને નોનવેજ ખાય છે. સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદનના વિરોધમાં ભરૂચ જૈન સમાજ દ્વારા આજરોજ 11 કલાકે શક્તિનગર મેદાનમાં આવેલ જૈન મંદિર ખાતે થી કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા સમાહર્તા ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. ટી.એમ.સી. સાંસદના આવા વાહિયાત નિવેદન બાબતે જૈન સમાજની લાગણીઓ દુભાઈ છે અને જૈન સમાજ નું ઘોર અપમાન થયેલ છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નગર પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રકાશભાઈ પટેલ, નિશાંતભાઈ મોદી, પાલિકા પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દીપકભાઈ મિસ્ત્રી, હેમુબેન પટેલ, તેમજ જૈન એલર્ટ ગૃપ આમોદ તેમજ ભરૂચના રાજેશભાઈ શાહ, નરેશભાઈ શાહ, લોકેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં ભરૂચ ભાજપાના નગર સેવકો, બંને સમાજના હોદ્દેદારો કલેકટર કચેરી ખાતે વિરોધ દર્શાવી ટી.એમ.સી. સાંસદ માહુઆ મોઈત્રા માફી માંગે અને સાંસદ પદેથી રાજીનામું આપે એવી માંગણી કરી હતી.

संबंधित पोस्ट

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Karnavati 24 News

યુપીમાં યોગી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ : PM મુખ્ય મહેમાન, 25 કેન્દ્રીય મંત્રી, 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત

Karnavati 24 News

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

Admin