Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ઇન્ડિયા ગેટ પર હવે કેમ નહી સળગે અમર જવાન જ્યોતિ, કોંગ્રેસના આરોપો પછી મોદી સરકારની સ્પષ્ટતા

અમર જવાન જ્યોતિની લૌને લઇને થયેલા વિવાદ પર હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારના સુત્રોનું કહેવુ છે કે જે રીતની અફવા ફેલાવવામાં આવી રહી છે તેને દૂર કરવુ જરૂરી છે. હવે સરકારે તથ્યોને સામે રાખ્યા છે. સરકારે કહ્યુ કે અમર જવાન જ્યોતિની લૌ ઓલવાઇ નથી રહી. તેને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સળગનારી જ્યોતિમાં વિલીન કરવામાં આવી રહી છે. હવે આ જ્વાળા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં પ્રજવલિત રહેશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને લઇને ટ્વીટ કર્યુ હતુ, તેમણે લખ્યુ, ઘણા દુખની વાત છે કે અમારા વીર જવાનો માટે જે અમર જ્યોતિ સળગતી હતી, તેને આજે ઓલવી દેવામાં આવશે. કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાન નથી સમજી શકતા-કોઇ વાત નહી…અમે પોતાના સૈનિકો માટે અમર જવાન જ્યોતિ ફરી એક વખત સળગાવીશુ.

સરકારના સુત્રોનું કહેવુ છે, વિડમ્બના આ છે કે જે લોકોએ 7 દાયકા સુધી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નથી બનાવ્યો, તે હવે અમારા શહીદોને સ્થાયી અને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા પર હંગામો કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે અમર જવાન જ્યોતિની લૌએ 1971 અને અન્ય યુદ્ધોના શહીદોને શ્રદ્ધાંજલિ આપી પરંતુ તેમનું કોઇ
સરનામુ નથી. ઇન્ડિયા ગેટ પર અંકિત નામ માત્ર કેટલાક શહીદોના છે, જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ અને એંગ્લો-અફઘાન યુદ્ધમાં અંગ્રેજો માટે લડાઇ લડી હતી અને આ રીતે અમારા ઔપનિવેશિક અતીતનું પ્રતીક છે.

1971, તેમના પ્રથમ અને બાદના યુદ્ધો સહિત બાકી જંગોના તમામ ભારતીય શહીદોના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં રાખવામાં આવ્યા છે, માટે ત્યા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવી એક સાચી શ્રદ્ધાંજલિ છે.

संबंधित पोस्ट

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

Karnavati 24 News

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News

ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા

Karnavati 24 News

યશવંત સિંહા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારઃ TMCમાંથી રાજીનામું, કહ્યું- હું મોટા હેતુ માટે અલગ થવા માંગુ છું

Karnavati 24 News

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News