Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોડાસામાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે કોઇ જ વિકલ્પ નહીં, અધિક કલેક્ટર ફસાયા

મોડાસા શહેરમાં એક સળગતો પ્રશ્ન ટ્રાફિકની સમસ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને લઇને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. આ પહેલા તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ પણ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ઘટતું કરવા માટે જણાવ્યું હતું, ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પત્રકાર પરિષદ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં પત્રકારોના સવાલમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાને લઈને મોડાસા પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવી છે, પણ મોડાસાની ટ્રાન્સપોર્ટની સમસ્યા ઠેરની ઠેર છે.

ઉત્તરાયણના તહેવારને લઈને મોડાસાના બજારો ધમધમી ઉઠયા હતા અને કોરોની ગાઇડલાઇન ના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા. આ વચ્ચે મોડાસામાંથી પસાર થઈ રહેલા અધિક કલેક્ટર પણ ટ્રાફિક માં ફસાઈ ગયા 15 મિનિટ સુધી તેઓ ની ગાડી ટ્રાફિક માં ફસાઈ ગઇ. અધિક કલેકટર આવતા તો આવી ગયા પણ કેવી રીતે બહાર નીકળવું તે અંગે તેઓને ચોક્કસથી ખ્યાલ આવી ગયો હશે કે ટ્રાફિકની સમસ્યા કેટલી હદે વધી છે. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ બારોબાર બાયપાસ થી પોતાના નિવાસસ્થાન અને નિવાસસ્થાનથી કચેરીઓમાં જતા હોય છે ત્યારે સ્થાનિક લોકો કેવી હાલાકીનો સામનો કરવો પડે છે કદાચ તેઓને ખ્યાલ નહીં હોય. પણઅધિક કલેક્ટર જે રીતે ટ્રાફિકમાં ફસાયા તે કલેક્ટર સુધી તેમની વાત પહોંચાડે તો આ સમસ્યા અંગે મંથન થઇ શકે. બાકી તો પ્રજા પોતાનું કૂટી જ લે છે.

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લો ઓદ્યોગિક તરફથી દેશના વિકાસમાં ખુબ મોટુ યોગદાન છે.

Karnavati 24 News

પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે NOTA બટન બ ન્યું હારનું કારણ

Admin

શું શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું

Karnavati 24 News

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News

અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

Karnavati 24 News

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News