Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

રાજ્યમાંથી માવઠાની અસર હટતા જામનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ફરી ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થયો છે. ઠંડીના વધતા જતા પ્રભુત્વને પગલે આજે જામનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાતા જામનગર ઠુંઠવાયું હતું. ટાઢાબોળ વાતાવરણથી બચવા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો પણ સહારો લીધો હતો. છેલ્લા 20 દિવસની સરખામણીએ જામનગરમાં આજે અને ગઈકાલે સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ગુજરાતમાંથી માવઠાની મોકાણનું જોર ઘટતા ઠંડીએ જોર પકડ્યું છે. જેને લઈને જામનગરમાં પણ ઠંડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો સડસડાટ નીચે સરકતા ઠંડી એ માથું ઊંચક્યું છે. તંત્રના સત્તાવાર રીતે જાહેર થયેલ આંકડા મુજબ જામનગરમા આજે લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવા પામ્યું હતું જ્યારે મહતમ તાપમાનનો પારો 23.5 ડિગ્રીએ અટક્યો હતો. વધુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 અને પવનની ગતિ 3.2 પતિ કિમિ રહેવા પામી હતી

संबंधित पोस्ट

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News

વર્ષ 2021ના ઢળતા સૂર્ય અને 2022ના ઉગતા સૂર્યનો મનમોહક નજારો

Karnavati 24 News

 દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ ડિસેમ્બરે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

Karnavati 24 News

ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ખેલ મહાકુંભની સમગ્ર ઇવેન્ટનું આયોજન કરાયું

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin