Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના અંદાજે ૪૦૦૦૦ થી વધુ બાળકોને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં પણ આગામી તા.૦૩ જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

…આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામે રસીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી તારીખ ૦૩ જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ થશે જે અંગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત જીલ્લામાં અંદાજે ૪૦૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર એ. કે. ઔરંગાબાદકર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણિ કુમારની આગેવાની હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા બાળકોનું રસીકરણ શરૂ કરશે. જે માટે ૧૦૦ ટીમો તૈનાત કરવામાં આવશે અને ૮ કર્મચારીઓની ટીમમાં કુલ ૨૦૦ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. હાલ જિલ્લાની શાળા સંચાલકો સાથે વાતચીત ચાલી રહી છે. શાળાઓમાં રસીકરણ શરૂ કરવાની યોજના પણ બનાવવામાં આવશે જ્યાં રસીકરણ કરી શકાય.જ્યારે બાળકોને ત્રણ સ્તરે રસી આપવામાં આવશે. જેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજે તા. ૦૧ જાન્યુઆરીથી શરૂ થશે.

संबंधित पोस्ट

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

કાળઝાળ ગરમી પડતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માંગણી કરાઇ

Karnavati 24 News

દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા

Karnavati 24 News

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News