Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

વર્ષ 2021ના ઢળતા સૂર્ય અને 2022ના ઉગતા સૂર્યનો મનમોહક નજારો

જામનગરમાં 2021નો અંતિમ સૂર્યાસ્ત નભમાં સમાઈ જવાના અને નવી આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ સાથેના 2022ના વર્ષના સૂર્યોદયના મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે સૂર્યાસ્ત અને સૂર્યદયથી જાણે આકાશમાં ભાત ભાતની રંગોળી રચી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જીવનના ખટમીઠા સંભારણાઓ તેમજ નફા, નુકસાની, અમુક ઉપાડી અને સોનેરી યાદો સાથે 2021નું વર્ષ પસાર થઇ જતા તેના ઢળતા સૂર્યનો જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે નયનરમ્ય નજારો સર્જાયો હતો.શહેરીજનોએ પણ વર્ષના આખ૨ી દિવસ અને અંતિમ સૂર્યાસ્તનાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત નવા સપનાઓ અને આશાઓ સાથે નવા વર્ષ 2022ના થનગનાટ સાથે વધાવ્યો હતો. જે સૂર્ય ઉદયનો પણ જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે અદભુત નજારો સર્જાયો હતો.’આભમા ઉડે અબીલ ગુલાલ રે… સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ’…કાવ્યના શબ્દોની માફક આકાશમાં જાણે નવા આગમનને વધાવવા રંગોળીઓ કરી નૂતન વર્ષના વધામણા કરવામાં આવ્યા હોય તેવા સુંદ૨ દ્રશ્યો સર્જાયા હતા.

संबंधित पोस्ट

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News

બાબરાના ખંભાળા ગામ નજીક સિંહના આંટાફેરા,ત્રણ સાવજો દેખાતા ફફડાટ : વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

Karnavati 24 News

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Admin