Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

ઓમિક્રૉનના વધતા ખતરા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની 2 નવી વેક્સીન અને એક એન્ટી વાયરલ ડ્રગ્સના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નિર્ણય પર દેશને શુભેચ્છા પાઠવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બે વેક્સીન કોર્બેવેક્સ, કોવોવેક્સ અને એન્ટી-વાયરલ ડ્રગ મોલનુપિરાવિરના ઇમરજન્સી યૂઝને મંજૂરી આપી છે.

દેશમાં ઓમિક્રૉનનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. એક દિવસમાં સૌથી વધુ 135 કેસ દર્જ થયા છે, જેનાથી કુલ દર્દીની સંખ્યા વધીને 670 થઇ ગઇ છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રૉને દસ્તક આપી હતી. બન્ને રાજ્યોમાં કાલે એક એક દર્દી મળ્યા હતા. ઓમિક્રૉનના અત્યાર સુધી 20 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાઇ ગયુ છે.

દિલ્હીમાં ગત દિવસે ઓમિક્રૉનના રેકોર્ડ 63 કેસ દર્જ થયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 26, ગુજરાતમાં 24, તેલંગાણામાં 12, રાજસ્થાનમાં 3, ઉત્તરાખંડમાં 3 અને હરિયાણામાં 2 નવા કેસ દર્જ થયા છે.

संबंधित पोस्ट

દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માટે ત્રી પાંખિયો જંગ જામવા ના એંધાણ : નેતાઓ લોકસપર્ક માં કાર્યરત.

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

ઉમેદવારો હવે ચૂંટણી ખર્ચ માટે ઓનલાઇન ક્રાઉડફંડિંગ તરફ વળ્યા . .

Admin

સૈનિકને માર મારનાર અને યુનિફોર્મ ફાડવાના આરોપીની ધરપકડ કરી

Karnavati 24 News

ચૂંટણીઓ વહેલી યોજાય તો નવાઈ નહી, વડાપ્રધાનના કાફલામાં ઓપન જીપ સાથે રખાઈ, ઓપન જીપમાં ગાંધી આશ્રમથી બેસી શકે છે,

Karnavati 24 News

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News