Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 સર્પદંશથી ઇજાગ્રસ્ત દર્દી SSG હોસ્પિટલમાં સ્ટ્રેચર પર હતો અને ડોક્ટર સામે પરિવારે કોથળીમાંથી સાપ કાઢતા જ..

મળતી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ભદારી ગામમાં રમેશભાઇ મેલાભાઈ વસાવાનું (ઉં.વર્ષ 35) ગામની સીમમાં સંયુક્ત કુટુંબની માલિકીનું ખેતર આવેલું છે. આ ખેતરમાં કપાસની કરેલી ખેતીની દેખરેખ રમેશ વસાવા કરે છે. રવિવારે બપોરે તે ખેતરમાં ખેત મજૂરી માટે ગયો હતો. અને ખેતીનું કામ કરી રહ્યો હતો. તે સમયે ખેતરમાં નીકળેલા ચિતોડ જાતિના સાપ તેના પગે વીંટળાઇ ગયો હતો. અને ઉપરાછાપરી બે દંશ માર્યા હતા. સાપ પ્રજાતીનો ચિત્તોડ રમેશના પગમાં બે દંશ મારી ભાગવા જતો હતો. તેજ વખતે રમેશે હિંમત રાખી સાપ પ્રજાતિના ચિત્તોડને પકડી લીધો હતો. અને જમીન ઉપર પછાડી તેને મારી નાંખ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ભત્રીજાને કરતા તેઓ ખેતરમાં દોડી ગયા હતા. બીજી તરફ સર્પ દંશની અસર થતા તેને સારવાર માટે પાદરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ રમેશનો ભત્રીજો મરેલા સાપ જાતીના ચિત્તોડને પ્લાસ્ટિકની કોથળીમાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. અને મરેલા સાપને તબીબને બતાવ્યો હતો. ફરજ પરના તબીબો અને નર્સિંગ સ્ટાફ તથા અન્ય દર્દીઓ તેમજ તેમના સગાઓ મરેલા સાપ સાથે લઈને આવેલા વ્યક્તિને જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. આ બનાવે હોસ્પિટલમાં ચકચાર જગાવી મુકી હતી. તબીબોએ સાપની જાતિના આધારે દર્દીની સારવાર હાથ ધરી હતી.

संबंधित पोस्ट

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Karnavati 24 News

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

લીલી પરિક્રમામાં જોખમી રસ્તાઓનું ફરી યોગ્ય રીતે રીપેરીંગ કરવા સૂચના

Admin