Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

વિરાર-સુરત ટ્રેન નં.59037/59038, વિરાર-વલસાડ ટ્રેન નં.59039, વાપી-વિરાર ટ્રેન નં.59040, બાંદ્રા ટર્મિનસ-વાપી ટ્રેન નં.59045 અને વલસાડ-બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં.59046 શરૂ કરવા ટ્વિટર પર જાહેરાત કરી હતી. બાંદ્રા ટર્મિનસથી 9-15, વાપી અને વાપીથી 13-25 વિરાર સુધી અને તે જ રીતે વિરાર થી 17.05 ઉપડી વલસાડ 20.50 ઉપડી સુરત 23.20 કલાકે પહોંચશે. <br /><br />બીજે દિવસે સુરતથી 04.15 ઉપડી વલસાડ થી 6.18 અને 9.55 કલાકે વિરાર પહોંચશે. આજ રીતે વાપીથી બપોરે 14.00 કલાકે ઉપડી વિરાર સાજે 16.30 કલાકે પહોંચશે. વલસાડથી સાંજે 16.35 વાગે ઉપડતી મેમુ રાત્રે 21.10 કલાકે બાંદ્રા પહોંચશે.પશ્ચિમ રેલવે અને કેન્દ્ર સરકારે લોકલ ભાડાના બદલે સ્પેશિયલ તરીકે ચાલુ રાખી છે અને તેને એક્સપ્રેસ કરી છે એટલે કે હવે મોટા ભાગની લોકલ મેમુ શટલ એક્સપ્રેસ ભાડે દોડાવી કોરોનાના ભયાનક કાળમાં મુસાફરોને લૂંટી આર્થિક ડામ આપી રહી છે. <br /><br />દૈનિક રોજમદારોને માસિક પાસ સુવિધા માત્ર લોકલ ટ્રેન માટે ચાલુ કરી છે. દૈનિક મુસાફરો માટે ઉપયોગી વલસાડથી સવારે 6 વાગે ઉપડતી અમદાવાદ લોકલ કે વિરમગામ મુંબઈ સેન્ટ્રલ લોકલની પણ તીવ્ર માંગ કરી રહ્યા છે તે કેમ શરૂ કરતા નથી તેવો સવાલ મુસાફરોમાં ઉઠ્યો છે.રેલવે યાત્રીઓને લાગે છે કે હવે તમામ શટલ લોકલ માટે મેમુની જ રૅક દોડશે અને એક્સપ્રેસ ભાડુ લેશે.

संबंधित पोस्ट

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

Karnavati 24 News

બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા:સુરતમાં પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

Karnavati 24 News

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News