Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 ખનીજ માફિયાઓ પર તવાઇ : આણંદ ખનીજ માફિયાઓ ઉપર ગાંધીનગર વિજિલન્સના દરોડા

આણંદ જિલ્લાના વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે તપાસ કામગીરી . 4 ડમફર , 1 ટ્રેકટર એક જેસીબી અને 5 નાવડી સિઝ કરાઈ , હજુ તપાસ ચાલુ . મહિસાગર નદીના 70 કિલોમીટર લાંબા પટમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનન માફિયાઓ સક્રિયગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં ત્રણ વિસ્તારમાં સાત સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ અને ખનન ખનિજની ચોરી ઝડપાઈ છે . આણંદમાં આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક કચેરીની પોલ ખુલ્લી પડી ગઈ છે . રાજ્યની કિંમતી ખનીજ રેતી , માટી , બોક્સાઈટ , કાચો કોલસો , સીરેમિક , કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે . રાજ્યના અધિકારીઓ અને ભ્રષ્ટ રાજકીય આગેવાનોની સાથે ભાગબટાઈથી રાજ્યના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે . જોકે , હવે ગાંધીનગર વિજિલન્સ સક્રિય થઈ હોવાનું જણાય છે . ગાંધીનગર વિઝીલન્સની 3 ટીમો દ્વારા આણંદ જિલ્લાની મહીસાગર નદીના પટમાંથી સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરતા ખનન માફિયાઓમાં હાહાકાર મચી ગયો છે.મહિસાગર નદીના 70 કિલોમીટર લાંબા પટમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનન માફિયાઓ સક્રિય છે . જિલ્લાના વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે તપાસ કામગીરી આરંભાઈ છે . સવારથી જ ગાંધીનગર વિજિલન્સની ત્રણ ટીમોએ વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે આવેલા લિઝ ધારકોના પ્લાન્ટમાં અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હોવાની માહિતી મળી રહી છે . જ્યાં અવેધ રેતી ખનન અને બિનધિકૃત ખનીજ સંગ્રહ હાથ લાગ્યોહતો . સીધી ગાંધીનગર ટીમની કાર્યવાહીને લઈ ખનન માફિયાઓમાં દોડભાગ મચી હતી . જોકે સ્થાનિક કચેરીની શેહશરમ રાખ્યા વિના વાસદથી 4 ડમફર , 1 ટ્રેકટર એક જેસીબી અને 5 નાવડી સિઝ કરાઈ છે , હજુ તપાસ ચાલુ જ છે .

संबंधित पोस्ट

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

Karnavati 24 News

NCP ના ગુજરાત પ્રદેશ” પ્રમુખ જયંત પટેલ (બોક્સી )” ના જન્મદિન ની ઉજવણી

Karnavati 24 News

૯૮ – રાજુલા વિધાનસભા માં રાજનૈતિક પ્રવાસના ત્રીજા દિવસે શ્રી દેવેન્દ્ર બાપુ (ડેડાણ)નાં આશીર્વાદ

Karnavati 24 News

रशिया-यूक्रेन युद्ध: यूक्रेनी सेना के अधिकारी ने कहा- ‘राष्ट्र को सबसे ज्यादा ‘हवाई रक्षा प्रणाली’ की आवश्यकता’

Karnavati 24 News

Shaniwar Mantra: शनिवार के दिन करें इन मंत्रों का जाप, सारे दुख दूर करेंगे शनिदेव

Karnavati 24 News

ગુજરાત નું વિકાસ મોડેલ સમગ્ર દેશ માટે ઉદાહરણ : યોગી

Admin