Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ બદલાયા છે. લોચન સહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બન્યા છે.

લોચન સહેરા AMCના નવા કમિશનર બન્યા છે. તે 2002ની બેચના IAS અધિકારી છે. લોચન સહેરા 7 જુલાઇ 2014થી 7 મે 2016 સુધી મહેસાણાના કલેક્ટર રહી ચુક્યા છે. જ્યારે મે 2016થી 1 મેચ 2017 સુધી વડોદરા કલેક્ટર રહી ચુક્યા છે.

કોણ છે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર

ઇતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા લોચન સહેરા વર્ષ 2002ની ગુજરાત બેચના IAS છે. રાજકોટ ખાતે 2004માં આસિસ્ટન્ટ કલેક્ટરથી સનદી સેવાની નોકરીની શરૂઆત કરી હતી. તે પછી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર બન્યા હતા, તે બાદ ભરૂચ અને બાદમાં સુરતના જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા. તે પછી બઢતી સાથે દાહોદમાં કલેક્ટર તરીકે મુકાયા હતા, તે પછી ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી હતી. લોચન સહેરા અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી હતા

IAS મુકેશ પુરી જેઓ સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી હતા તેમની GSFC વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની ગાંધીનગર સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. કે.સી. સંપતને સુરેન્દ્રનગર ડીડીઓ બનાવાયા છે. નવનાથ કોંડીબાને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર બનાવાયા છે.

संबंधित पोस्ट

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

Karnavati 24 News

ભાવનગર રેલવે ડિવિઝનની કિડ્સ હટ સ્કૂલ ખાતે ૨મત ગમત સ્પર્ધા

Admin

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News