Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 7-8 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે હરાજી, 10 ટીમ રમતી જોવા મળશે

બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા હરાજીનું આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં કરશે. બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ આ જાણકારી આપી છે.

આ આઇપીએલની અંતિમ મેગા હરાજી હોઇ શકે છે કારણ કે મોટાભાગની મૂળ આઇપીએલ ટીમ હવે તેને બંધ કરવા માંગે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યુ, કોરોના મહામારીને કારણે સ્થિતિ ખરાબ નહી થવાની દશામાં આઇપીએલની મેગા હરાજી ભારતમાં યોજાશે. બે દિવસીય હરાજી સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે, જેની તૈયારી ચાલી રહી છે.

એવા સમાચાર હતા કે હરાજી યૂએઇમાં યોજાશે પરંતુ બીસીસીઆઇની આવી કોઇ યોજના નથી. કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટના કેસ વધવાની દશામાં વિદેશ યાત્રાને લઇને પ્રતિબંધ હોઇ શકે છે જેનાથી ભઆરતમાં તેને કરાવવુ આસાન હશે. આ વર્ષે આઇપીએલમાં 10 ટીમ હશે. લખનઉં અને અમદાવાદની નવી ટીમ જોડાઇ ગઇ છે. બન્ને ટીમ પાસે ડ્રાફ્ટમાંથી પસંદ કરવા માટેના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવાનો ક્રિસમસ સુધીનો સમય છે. બીસીસીઆઇ તેમણે વધારાનો સમય આપી શકે છે.

મોટાભાગની ટીમનું માનવુ છે કે દર ત્રણ વર્ષમાં હરાજી થવા પર ટીમ કોમ્બિનેશન બગડી જાય છે. દિલ્હી કેપિટલ્સના કો ઓનર પાર્થ જિંદલે કહ્યુ હતુ કે ટીમ બનાવવામાં એટલી મહેનત કર્યા બાદ ખેલાડીઓને ફારિંગ કરવા ઘણા કઠિન હોય છે.

संबंधित पोस्ट

ખેલ મહાકુંભનો પ્રારંભ : રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો : તાલુકા કક્ષાની તથા જિલ્લા કક્ષાની રમતોમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા

Karnavati 24 News

ખેલ મહાકૂભ-2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે.

Karnavati 24 News

IND Vs BAN: ભારતીય વન-ડે સીરિઝ અગાઉ મોટો ઝટકો, શમી બાદ ઋષભ પંત વન-ડે સીરિઝમાં બહાર

Admin

દક્ષિણ આફ્રિકાને લાગ્યો ઝટકો, ટીમના સ્ટાર પ્રિટોરિયસ વર્લ્ડકપમાંથી થયો બહાર

સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવઃ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

Karnavati 24 News

IPL 2022 Auction: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં કેમ ખરીદ્યો, આકાશ અંબાણીએ જવાબ આપ્યો

Karnavati 24 News