Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે માતાજી સન્મુખ રંગબેરંગી નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો

પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીની પોળ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે ગઈકાલે મંગળવારના રોજ અન્નપૂર્ણા માતાજી સન્મુખ નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો હતો. નોંધનીય છે કે રંગોળીનો મનોરથ સુનિલભાઈ વિરૂપ્રસાદ ભાઈ સોની પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર અને આકર્ષક રંગોળી શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવી હતી. જેનાં દર્શન માટે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવેલ આ નયનરમ્ય રંગોળીનાં દર્શન ભક્તજનો કરી શકે તે ઉદેશ્યથી આ રંગોળી મંદિર પરિસર ખાતે બે દિવસ માટે રાખવામાં આવશે તેવું મહોત્સવ સમિતિનાં કાર્યકરોએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

बिहार – कमाई 500 रुपये और आईटी विभाग ने थमा दिया 37.5 लाख रुपये का नोटिस

Karnavati 24 News

સ્કૂલમાં ઢોલ વગાડવાનો શોખ ફિલ્મમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ સુધી લઈ ગયો

Admin

आरसी ट्रांसफर के लिए फॉर्म 28, 29, 30 की कब और क्यों पड़ती है जरूरत?

Karnavati 24 News

રાજસ્થાનમાં માર્ચ સુધીમાં 24 મોટી ભરતી થશેઃ સ્ટાફ સિલેકશન બોર્ડના પ્રમુખે કહ્યું- વિભાગની ભલામણ પર પોસ્ટ વધી શકે છે

ગ્રીન ઈકો બજારનું સફળ નિષ્કર્ષ

Karnavati 24 News

પાટણ જીલ્લાના સરસ્વતિના વાહણા ગામ ખાતે સેલ્ફી સ્ટાર ગ્રુપના 22 યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું

Karnavati 24 News