Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જીતન રામ માંઝીની જીભ કાપનારાને 11 લાખ ઇનામની જાહેરાત કરનારાને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી દ્વારા બ્રાહ્મણો પર કરવામાં આવેલી ટિપ્પણી બાદથી બિહારનું રાજકારણ ગરમાયુ છે. માંઝીના નિવેદન પછી ભાજપના નેતા ગજેન્દ્ર ઝાએ જાહેરાત કરી હતી કે પૂર્વ મુખ્યમંત્રીની જીભ કાપીને લાવનારાને 11 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. આ જાહેરાત તેમની પર ભારે પડી ગઇ છે. ઝાના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ કાર્યવાહી કરતા ગજેન્દ્ર ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે અને સ્પષ્ટીકરણ માંગ્યુ છે.

ભાજપ પ્રદેશ કાર્યકારિણીના સભ્ય અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ મહાસભાના મહાસચિવ ગજેન્દ્ર ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની સાથે જ મધુબની જિલ્લા અધ્યક્ષ શંકર ઝાએ 15 દિવસની અંદર સ્પષ્ટીકરણની માંગ કરી છે. ભાજપ જિલ્લા અધ્યક્ષ શંકર ઝા દ્વારા જાહેર પત્રમાં લખવામાં આવ્યુ કે..તમારા દ્વારા આપવામાં આવેલા અમર્યાદિત નિવેદનથી પાર્ટીને આઘાત લાગ્યો છે. તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ગજેન્દ્ર ઝાને 15 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવાની માંગ કરવામાં આવી છે.

માંઝીના નિવેદન પછી ગજેન્દ્ર ઝાએ સોમવારે નિવેદન આપ્યુ હતુ કે બ્રાહ્મણનો પુત્ર જો માંઝીની જીભ કાપીને લાવે છે તો તેને તે ઇનામ તરીકે 11 લાખ રૂપિયા આપવાની સાથે જીવનભર ભરણ પોષણ પણ કરશે. ગજેન્દ્ર ઝાએ કહ્યુ હતુ કે માંઝી વારંવાર આ રીતના નિવેદન આપે છે જેને બ્રાહ્મણ સમાજ સહન નહી કરે. માંઝીને પદની ગરીમા નથી અને હિન્દૂ સનાતન ધર્મમાં આસ્થા પણ નથી.

संबंधित पोस्ट

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

 જૂનામાંકામાં ઠાકોર સમાજની 3 મહિલા સામે દેસાઈ સમાજની મહિલાની 228 મતોથી જીત

Karnavati 24 News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે, અગાઉ દાહોદનો પ્રવાસ નક્કી થયો છે

Karnavati 24 News

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

મોદી સરકારના 8 વર્ષ: પહેલીવાર સંસદ પહોંચ્યા ત્યારે સીડીઓ ચુંબન કરી,

Karnavati 24 News