Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

દેશમાં ઓમિક્રૉનના અત્યાર સુધી 161 દર્દી સામે આવ્યા છે, આ કેસ 12 રાજ્યમાંથી મળ્યા છે. ઓમિક્રૉનથી 42 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે. ઓમિક્રૉનથી સ્વસ્થ થનારા સૌથી વધુ દર્દી મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના છે.

હવે ઓમિક્રૉનનો કોઇ પણ દર્દી ગંભીર નથી. મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 54 કેસ સામે આવ્યા છે. તે બાદ બીજા સ્થાન પર દિલ્હી (32) છે જ્યારે તેલંગાણાથી ઓમિક્રૉન વેરિએન્ટના 20 કેસ સામે આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી આવ્યા ઓમિક્રૉનના કેસ

મહારાષ્ટ્ર: 54
દિલ્હી: 32
તેલંગાણા: 20
રાજસ્થાન: 17
ગુજરાત: 13
કેરળ: 11
કર્ણાટક: 08
યુપી: 02

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ: 1

ઓમિક્રૉનને લઇને ચિંતા વચ્ચે ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં સતત કમી આવી રહી છે. ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 6,563 નવા કેસ દર્જ કરવામાં આવ્યા છે. આ આંકડો રવિવારની તુલનામાં 7.3 ટકા ઓછો છે. બીજી તરફ આ દરમિયાન 132 લોકોના સંક્રમણન કારણે મોત થયા છે. ગત 24 કલાકમાં 8,077 લોકોએ કોરોનાને માત આપી છે, આ સાથે જ કોરોનાથી સ્વસ્થ થનારાઓની સંખ્યા વધીને 3,41,87,017 થઇ ગઇ છે. ભારતમાં અત્યારે રિકવરી રેટ 98.39% છે, જે માર્ચ 2020 બાદથી સૌથી વધુ છે. સક્રિય કેસની વાત કરીએ તો આખા દેશમાં અત્યારે 82,267 સક્રિય દર્દી છે, આ સંખ્યા ગત 572 દિવસમાં સૌથી ઓછી છે.

संबंधित पोस्ट

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકાયો.

Karnavati 24 News

અરવલ્લી જિલ્લાના 5 વિદ્યાર્થીઓ યુક્રેનમાં, પ્રાંત અધિકારીઓએ પરિવાર સાથે કરી વાતચીત

Karnavati 24 News