Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણસ્થાનિક સમાચાર

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

જામનગરના એક સોપારીના વેપારી પાસેથી ઉપલેટાના વેપારીએ ત્રણ તબક્કામાં રૂ. 2.35 લાખની સોપારીની ઉધાર ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે આપેલ ચેક બેન્કમાંથી રિટર્ન થતા ફરિયાદ નોંધાયા બાદ જામનગરની અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે. જામનગરમાં સો5ારીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી નામના વેપારીએ રૂ.2,35,000 કિંમતની સોપારીની ઉધારમાં ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે જુદી જુદી ત્રણ તારીખના ત્રણ ચેક વેપારીએ આપ્યા હતા. તે ચેક બેંકમાં જમા કરાવાતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી જામનગરના વેપારીએ ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી સામે જામનગરની અદાલતમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતમાં ફરીયાદી પક્ષ તરફથી રજૂ કરાયેલા દસ્તવેજી પુરાવા વગેરે અને કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સામેનો કેસ સાબિત થતો હોવાનું ઠરાવી આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમ એટલે કે રૂપિયા 4,70,000નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચૂકવી આપવા આદેશ થયો છે. દંડ ભરવામાં ન આવે તો આરોપીને વધુ ત્રણ મહિનાને કેદ ભોગવવા હુકમ કરાયો છે. સજાના હુકમ સમયે અદાલતમાં આરોપી વિશાલ અનિલભાઈ વાછાણી હાજર ન હોય અદાલતે તેની ગેરહાજરીમાં હુકમ જાહેર કર્યા પછી તેની સજાનું વોરંટ કાઢવા અને બજવણી માટે રાજકોટ એસ.પી. ને મોકલી આપવા આદેશ કર્યો છે.

संबंधित पोस्ट

 કોરોના સામે સાવચેતીભર્યો નિર્ણય:વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને જ વાઇબ્રન્ટ સમિટમાં એન્ટ્રી મળશે

Karnavati 24 News

બાયપાસ ચોકડી નજીક થયેલ ફોરેસ્ટ ગાર્ડ યુવાન અકસ્માતમાં મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ

Karnavati 24 News

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ ભિલોડા નજીકથી પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News

સંસદમાં EDની કાર્યવાહી પર હોબાળો, લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

Karnavati 24 News

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News