Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનો મામલો સામે આવતા તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. જ્યાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની સીધી સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અગાઉ દિલ્હી ખાતેથી ઉમર ગૌતમની ધરપકડ કરી હતી. આમ સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધર્માંતરણ મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આફમી ચેરિટેબલ ટ્રસ્ટમાં FCRA થકી કરોડો રૂપિયાનુ વિદેશી ફંડિંગ કરાતુ હોવાનુ વિગતો સપાટી પર આવી હતી. જેથી આ મામલો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી ટ્રાન્સફર વોરેન્ટના આધારે સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તાજેતરમાં જ મોહમ્મદ હુસૈન ગુલામ રસૂલ મન્સૂરી, સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને મોહમ્મદ ઉમર ધનરાજસિંહ ગૌતમ વિરૂદ્ધ કોર્ટમાં 1860 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમજ થોડા દિવસો પહેલા ભરૂચ ખાતે ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો હતો. જે અંગેની તપાસમાં સલાઉદ્દીન અને ઉમર ગૌતમની સંડોવણી બહાર આવી હતી. જેથી આ બન્ને સામે ભરૂચ પોલીસે પણ ગુનો નોંધ્યો હતો. આમ એક બાદ એક ગેરકાયદેસર ગતિવિધિઓ સામે આવતા આખરે ગૃહ મંત્રાલય દ્વારા વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું છે. તાજેતરમાં, MHA એ 10 ઓસ્ટ્રેલિયન, અમેરિકન અને યુરોપિયન દાતાઓને તેની વોચલિસ્ટમાં મૂક્યા હતા. જેના પગલે ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને લખ્યું હતું કે વિદેશી દાતાઓ દ્વારા મોકલવામાં આવેલ કોઈપણ ભંડોળ મંત્રાલયના ધ્યાન પર લાવવામાં આવે અને તેની પરવાનગી વિના ક્લિયર ન કરવામાં આવે. બધા દાતાઓ કે જેઓ વોચલિસ્ટ અથવા “પ્રાયોર રેફરન્સ કેટેગરી” પર મૂકવામાં આવ્યા હતા તેઓ આબોહવા પરિવર્તન, પર્યાવરણ અને બાળ અધિકારોના ક્ષેત્રમાં કામ કરે છે. દાતાઓમાં યુરોપિયન ક્લાઈમેટ ફાઉન્ડેશન, યુએસ સ્થિત ઓમિડયાર નેટવર્ક ઈન્ટરનેશનલ, હ્યુમેનિટી યુનાઈટેડ અને સ્ટારડસ્ટ ફાઉન્ડેશન, ઓસ્ટ્રેલિયા સ્થિત એનજીઓ વોક ફ્રી ફાઉન્ડેશન અને મિન્ડેરુ ફાઉન્ડેશન અને યુકે સ્થિત ચિલ્ડ્રન્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડ ફાઉન્ડેશન, ફ્રીડમ ફંડ અને લૌડ્સ ફાઉન્ડેશન અને યુકે/યુએઈ સ્થિત લેગેટમનો સમાવેશ થાય છે. 2020 માં, MHA એ FCRA કાયદામાં સુધારો કર્યો હતો અને ઘણા ફેરફારો કર્યા હતા. જેણે NGO ને અન્ય NGO ને ભંડોળ ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રજિસ્ટર્ડ એનજીઓ પાંચ હેતુઓ માટે વિદેશી ફાળો મેળવી શકે છે – સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, આર્થિક અને સાંસ્કૃતિક. વિદેશી ભંડોળ મેળવવા માટે એનજીઓ માટે એફસીઆરએ નોંધણી ફરજિયાત છે. FCRA હેઠળ 22,591 NGO નોંધાયેલ છે.

संबंधित पोस्ट

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

 અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો કર્યો વધારો

Karnavati 24 News