Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

વધતી વસતિની સામે જમીનમાં રોજે રોજ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોની આવક ડબલ કરવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ત્યારે ટૂંકી જમીનમાં આવકને ડબલ કરવી આજના ડિજીટલ અને ફાસ્ટ યુગની માગ છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં વધુ આવક મેળવી શકાય તે માટે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ખેડૂત રમેશભાઈ પટેલ અને એમના પુત્ર ઉર્વિનભાઈ પટેલ તથા તેમના મિત્રોએ સાથે મળીને બે એકરમાં મલ્ટીલેયર ફાર્મિંગની અનોખી પદ્ધતિ અપનાવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે. આ નવી પદ્ધતિથી ખેડૂતોએ બે એકર જમીનમાં 10 પ્રકારના પાક લઈને વાર્ષિક 10 લાખની આવક ઉભી કરી છે મોડલ ફાર્મ બન્યું રમેશભાઈ પટેલ કહે છે કે, મારા પુત્ર સાથે મળીને ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરીને વધુ આવક મેળવી શકાય તે માટે મલ્ટીલેયર ફાર્મિંગની ખેતી કરવાની શરૂઆત કરી છે. તેઓ કહે છે કે, મારા પુત્ર ઉર્વિન તથા તેમના મિત્ર નિરવ પારેખના અથાગ પ્રયાસોથી આ મોડેલ ફાર્મ બન્યું છે. જેમાં 0.5 એકરમાં મલ્ટિલેયર ફાર્મ અને 1.5 એકરમાં ઈન્ટરક્રોપિંગનો પ્રયોગ કર્યો છે. ફાર્મમાં કૃષિના અવનવા પ્રયોગો સાથે વધુ સારી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ પર ભાર મૂકીને ખેડૂતોને આવક વધે એવા પ્રેરક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ઉત્પાદનમાં વધારો થયો રમેશભાઈ કહે છે કે પ્રથમ વર્ષે હળદરના વાવેતર સાથે ગલકા અને દુધીના મંડપ તૈયાર કર્યા છે. આશ્વર્યની વાત તો એ છે કે, સામાન્ય રીતે ત્રણથી ચાર ફુટના હળદરના છોડ આ મોડેલ ફાર્મમાં યોગ્ય માવજતથી સાત ફૂટની ઉંચાઈએ પહોચ્યા છે. જેથી આવનારા સમયમાં બમ્પર ઉત્પાદન મળવાની સંભાવનાઓ રહેલી છે.જેથી આ પદ્ધતિ સામાન્ય પરંપરાગત પદ્ધતિ કરતાં ફાયદાકારક છે આર્ગેનિક રીતે ખેતી થાય છે ટીમના સભ્ય નિરવભાઈ પારેખ જણાવે છે કે, આ ફાર્મમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાતર તરીકે ગાયનું ગોબર, ગૌમૂત્ર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, નવયુવાનો ખેતીથી વિમુખ થતા જાય છે, ત્યારે યુવાનો ખેતી અપનાવીને કંઈક નવી પહેલ કરે તેવા આશયથી અમે મિત્રોએ સાથે મળીને ‘ભારત ઈઝ બેસ્ટ’ના માધ્યમથી નવી દિલ્હીના રેડિયો જોકી સાથે મળીને ઓછી જમીન પર મલ્ટીલેયર ફાર્મિંગ દ્વારા વધુ આવક મેળવી શકાય તેવા આશયથી ફાર્મનું નિર્માણ કર્યું છે. 10 પાક લેવામાં સફળતા મળી નીરવભાઈ જણાવે છે કે, મલ્ટિલેયર ફાર્મિંગ ટેકનિકમાં એકથી વધુ પાકની ખેતી કરી શકાય છે. જેથી પાકમાં ન તો જીવાત આવે છે અને ન તો નીંદણનો ડર રહે છે. આ ટેક્નિકમાં પાંચ લેયરમાં ખેતી કરવામાં આવી છે. જેના માટે બામ્બુથી બનેલા સ્ટ્રકચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલા લેયરમાં જમીનની અંદરના પાક જેમ કે, હળદર અને આદુ, બીજા લેયરમાં ધાણા, મેથી, પાલક, ત્રીજા અને ચોથા લેયરમાં બામ્બુના સપોર્ટ સાથે દૂધી, ગલકા, કારેલાં જેવા વેલાવાળા શાકભાજી અને પાંચમા લેયરમાં પપૈયા ઉછેરવામાં આવ્યાં છે. આમ, આ ફાર્મમાં એક જ જગ્યાએ આઠથી દસ પ્રકારના પાક લેવાનો સફળ પ્રયોગ કર્યો છે. આવકમાં વધારો થાય છે ઈન્ટરક્રોપીંગમાં હળદર સાથે સરગવો ઉગાવવામાં આવ્યો છે. આ અનોખા પ્રયોગથી ખેતી પાકો એકબીજાના સહજીવનથી પોતાનો વિકાસ કરે છે. ઓછી જમીન ધરાવતા ખેડુતો જો મલ્ટીલેયર ફાર્મિંગ અપનાવે તો ચોક્કસ સારી આવક મેળવી શકે છે. ભારત ઈઝ બેસ્ટ આગળ વધતું રહે અને ભારતના ખેડૂતો તથા યુવાવર્ગને માર્ગદર્શન કરતુ રહેશે તેમ નિરવભાઈએ જણાવ્યું હતું. ખેતી તરફ યુવાઓને વાળવાનો ઉદ્દેશ આ પ્રકારની ખેતીથી વધુમાં વધુ કિસાનો, પ્રગતિશીલ યુવા ખેડૂતો આકર્ષાય અને આવકમાં વધારો કરે એવો અમારો મુખ્ય ઉદ્દેશ હોવાનું તેઓ જણાવે છે. યુવાઓની ટીમ ભાવના સાથે રોલ મોડેલ બનેલા આ મોડલ ફાર્મમાં કૃષિના અવનવા પ્રયોગો સાથે વધુ સારી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ પર ભાર મૂકીને ખેડૂતોને આવક વધે એવા પ્રેરક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

 

संबंधित पोस्ट

સુરતમાં ધો-૧૦ની વિદ્યાર્થિનીને માઠું લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ,ભણવાની જગ્યાએ પ્રેમી સાથે ફરવા જતી હતી,પરિવારે નજરકેદ કરતાં ભર્યું પગલું.!

Karnavati 24 News

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

મહુવા શહેરને પીડીલાઈટ દ્વારા અને સુંદર બનાવવામાં આવશે

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ, આજે હત્યારો ફેનિલ દંડાશે,કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે આરોપીની કડક સજાની કરી છે માંગ.!

Karnavati 24 News