Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત , ખાટલા પરીષદોની બેઠકોનો દોર શરુ

ખેડા જિલ્લામાં હાઈટેક ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે . રવિવારે મતદાનપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તમામ આયોજન પરીપૂર્ણ થઇ ગયું છે . જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ 417 ગામ પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે . અહીંયા બેઠકોની વાત કરીએ તો સરપંચની 414 બેઠકો છે અને સભ્યોની 1333 બેઠક છે . મતદાન મથકોની સંખ્યા 1232 છે . આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે એટલે મતપેટીઓ મુકવામાં આવશે . આ મત પેટીની સંખ્યા 1725 છે . ~ શેર ખેડા જિલ્લા ચૂંટણી કચેરીમાંથી મળતી માહિતી મુજબ ચૂંટણીમાં કામગીરી કરનારા સ્ટાફને તાલીમપણ આપી દેવામાં આવી છે અને સ્ટાફને સજ્જ બનાવી દેવામાં આવ્યો છે . ચૂંટણી અધિકારી તરીકે 88 , મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 88 તેમજ પોલીગ સ્ટાફ 7025 મૂકવામાં આવ્યો છે . ખેડા જિલ્લામાં 10 તાલુકામાં થઈ 417 ગ્રામ પંચાયતમાં ચૂંટણી છે . મતદારોની વાત કરીએ તો 9 , 93 , 560 મતદારો આગામી રવિવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારો પર પસંદગી મ્હોર મારશે . ઉલ્લેખનીય છે કે આવતીકાલે જિલ્લાના તાલુકા મથકો પરથી ચૂંટણીની સામગ્રી રોકાયેલા વાહનો મારફતે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે . જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને વાતાવરણ ડહોળાય નહી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર જિલ્લાના 10 તાલુકા મથકો પર આવેલા મતદાન કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે . જેમાં 4 DYSP , 11 PI , 48 PSI , 1700 પોલીસ કર્મી , 410 હોમગાર્ડ , 1030 ગ્રામ રક્ષક દળના જવાનો , SRP કંપની 1 જેમાં 101 માણસો છે . આ તમામ પોલીસકર્મીઓ રવિવારે મતદાનના દિવસે ખડે પગે રહી કાયદો અને વ્યવસ્થા જાળવશે .

संबंधित पोस्ट

ઊનાનાં ચાંચકવડ રોડ પાસે ફોટા કેમ પાડ્યા કહી યુવાન પર છરી વડે હુમલો

Karnavati 24 News

CBSE સેમ 1 ના 2021-22 પરિણામો

Karnavati 24 News

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin

અમદાવાદ વિધાનસભા વિસ્તારોમાં વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે જઈને પોસ્ટલ બેલેટ મતદાન કરાયું શરૂ

Admin

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News